SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૨ અન્યોન્યનિરપેક્ષ એવા આ બંનેમાં દેવ અને પુરુષકારમાં, સિદ્ધિ છેપ્રત્યેકની કારણરૂપે સિદ્ધિ છે. III ટીકા : दैवमिति-दैवं स्वकर्मसंज्ञकं, पुरुषकारश्च स्वोद्यमसंज्ञक: निश्चयेन निश्चयनयेन, अनयोर्द्वयोः प्रत्येकं स्वकार्यजननेऽन्योन्यनिरपेक्षयोः सिद्धिः ।।२।। ટીકાર્ય : સેવં .... સિદ્ધિાદેવ સ્વકર્મસંજ્ઞાવાળું છે અને પુરુષકાર સ્વઉધમસંજ્ઞાવાળો છે. નિશ્ચયથી–નિશ્ચયનયથી, સ્વકાર્યની ઉત્પત્તિમાં અવ્યોચનિરપેક્ષ એવા આ બંનેમાં પ્રત્યેકની સિદ્ધિ છે=પ્રત્યેકની કારણરૂપે સિદ્ધિ છે. રા. ભાવાર્થ :(i) દેવ અને પુરુષકારનું લક્ષણ :(ii) નિશ્ચયનયથી કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર બંનેમાંથી બળવાનનો કારણરૂપે સ્વીકાર :દેવ શું છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે -- જીવે સ્વપ્રયત્નથી પૂર્વમાં બાંધેલું એવું કાર્યનિષ્પત્તિને અનુકૂળ કર્મ દેવ છે. અને પુરુષકાર શું છે ? તે સ્પષ્ટ કરે છે – જીવનો કાર્યનિષ્પત્તિને અનુકૂળ સ્વઉદ્યમ પુરુષકાર છે. નિશ્ચયનય દૈવ અને પુરુષકારમાંથી કાર્યસિદ્ધિ પ્રત્યે કોને કારણે માને છે ? તે બતાવે છે –– દેવ અને પુરુષકાર બંનેમાંથી પ્રત્યેક અન્યો નિરપેક્ષ કાર્ય પ્રત્યે કારણ છે, તેમ નિશ્ચયનય કહે છે. આશય એ છે કે જે કાર્ય પ્રત્યે દેવ બળવાન છે, તે કાર્ય પુરુષકારનિરપેક્ષ દેવથી થયેલું છે; અને જે કાર્ય પ્રત્યે પુરુષકાર બળવાન છે, તે કાર્ય દેવનિરપેક્ષ પુરુષકારથી થયેલું છે, તેમ નિશ્ચયનય કહે છે. આથી પુરુષ બોલવાની ક્રિયા કરે કે ચાલવાની ક્રિયા કરે તે ક્રિયા જીવ સ્વઉદ્યમથી કરે છે, પરંતુ દેવની અપેક્ષા રાખીને કરતો નથી, તેમ નિશ્ચયનય કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy