________________
દેવપુરુષકારદ્વાત્રિશિકા/સંકલના કર્મોને ઉચિત યત્ન દ્વારા બાધ કરે, તે સ્થાનમાં કાર્યમાં વિજ્ઞભૂત એવા દેવનો બાધ કરીને પુરુષકારથી સ્વભૂમિકાનુસાર યોગની નિષ્પત્તિ થાય છે.
જેમ સંયમ ગ્રહણ કરવા માટે ચિત્તની ઉચિત ભૂમિકા હોય અને બાહ્ય વિઘ્ન હોય અથવા અંતરંગ વિજ્ઞભૂત કર્મ બળવાન હોય, છતાં વિવેકપૂર્વકના યત્નથી બાધ થાય તેવા હોય, ત્યારે તે વિપ્નને વિવેકપૂર્વક દૂર કરીને સંયમની ભૂમિકા ઉત્પન્ન કરવામાં આવે, તે સ્થાનમાં કાર્યના વિજ્ઞભૂત દેવનો બાધ કરીને પુરુષકાર કાર્ય કરે છે.
(૩) પુરુષકાર દૈવથી બાધ પામે ત્યાં યોગનિષ્પત્તિ થતી નથી : વળી જ જીવોનું ચારિત્રમોહનીય કર્મ ઉપક્રમણ સ્વભાવવાળું નથી, તેવા જીવો ચારિત્રની નિષ્પત્તિ માટે ઉદ્યમ કરે છે ત્યારે, તેઓના પુરુષકારને નિરુપક્રમ એવું ચારિત્રમોહનીયકર્મ બાધ કરે છે, તેથી યોગની નિષ્પત્તિ થતી નથી.
ચરમાવર્તની બહાર યોગમાર્ગની નિષ્પત્તિમાં દેવ હંમેશાં બાધક છે અને પુરુષકાર હંમેશાં બાધ્ય થાય છે; કેમ કે ચરમાવર્તની બહારનો કાળ એટલે બળવાન દૈવનો કાળ. વળી ચરમાવર્તિમાં પ્રાયઃ પુરુષકાર દ્વારા દેવ બાધ પામે છે; કેમ કે “ચરમાવર્તકાળ એટલે ક્ષીણ થયેલી શક્તિવાળા દેવનો કાળ.” આમ છતાં ચરમાવર્તમાં પણ ક્યારેક બલવાન દેવ પુરુષકારને પણ બાધ કરે છે. જેમ નંદિષણ મુનિનું દૈવ સંયમને અનુકૂળ પુરુષકારનું બાધક થયું. વળી ચરમાવર્તમાં તત્ત્વાતત્ત્વના નિર્ણયને અનુકૂળ બળવાન યત્ન થાય ત્યારે પ્રથમ તત્ત્વને જોવામાં બાંધક એવી રાગ-દ્વેષની ગાંઠરૂપ ગ્રંથિનો ભેદ થાય છે, અને ગ્રંથિભેદ થયા પછી પ્રગટ થયેલા વિવેકને કારણે બળવાન યત્ન ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. આ ઉચિત પ્રવૃત્તિને કારણે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે, અને ક્રમસર દેશવિરતિચારિત્રની અને સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે પ્રાપ્ત થયેલું સર્વવિરતિચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને છે, અને અસંગભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતાનું કારણ બને છે, વીતરાગતા કેવળજ્ઞાનનું કારણ બને છે, અને કેવળજ્ઞાન સર્વસંવરનું કારણ બને છે, જેના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org