________________
દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/સંકલના
દૈવરૂપ કારણ ઃ
:
(૧) પુણ્યાનુબંધીપુણ્ય :- પુણ્યાનુબંધીપુણ્ય યોગમાર્ગની પ્રાપ્તિને અનુકૂળ સામગ્રી આપાદન કરે છે અર્થાત્ સંઘયણ બળ, શરીર બળ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ આદિ આપાદન કરે છે, અને તેના દ્વારા યોગની નિષ્પત્તિનું કારણ બને છે.
(૨) દર્શનમોહનીયકર્મનો અને ચારિત્રમોહનીયકર્મનો અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમભાવ :- ક્ષયોપશમભાવવાળું ચારિત્રમોહનીયકર્મ ઉત્તરના ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમભાવ માટે કરાતા પુરુષકાર પ્રત્યે સહાયક બને છે, અને તત્સહવર્તી જ્ઞાનાવરણીયકર્મનો અને દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ પણ ઉત્તરના ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ માટે કરાતા પુરુષકાર પ્રત્યે સહાયક બને છે. તેથી યોગનિષ્પત્તિ પ્રત્યે પૂર્વનું ક્ષયોપશમભાવવાળું ચારિત્રમોહનીયકર્મ અને તત્સહવર્તી ક્ષયોપશમભાવવાળું દર્શનમોહનીયકર્મ અને ક્ષયોપશમભાવવાળું જ્ઞાનાવરણીયકર્મ કારણ છે.
(૩) સોપક્રમભાવવાળું કર્મ :- ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ માટે કરાતા પુરુષકારથી ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે ત્યારે, તે ચારિત્રમોહનીયકર્મ પુરુષકારથી ઉપક્રમણને પામે છે. તે સ્થાનમાં ચારિત્રમોહનીયકર્મ ઉપક્રમણના સ્વભાવવાળું હતું, તેથી પુરુષકાર દ્વારા ઉપક્રમણને પામ્યું, અને યોગની સિદ્ધિ થઈ. માટે યોગની નિષ્પત્તિ પ્રત્યે ઉપક્રમણ સ્વભાવવાળું ચારિત્રમોહનીયકર્મ પણ કારણ છે.
પુરુષકારરૂપ કારણ ઃ
(૧) પુરુષકાર દેવના બળથી યોગસિદ્ધિ કરે છે : જે જીવોને યોગમાર્ગની નિષ્પત્તિમાં સહાયક એવાં જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમભાવ છે અને યોગમાર્ગની સાધનાને અનુકૂળ દેહાદિની પ્રાપ્તિમાં સહાયક એવું પુણ્ય વિપાકમાં વર્તે છે, તે જીવો દૈવના બળથી સમ્યક્ પુરુષકાર કરીને સ્વભૂમિકાનુસાર યોગની નિષ્પત્તિ કરે છે.
(૨) પુરુષકાર દૈવનો બાધ કરીને યોગસિદ્ધિ કરે છે : જે જીવોને યોગની નિષ્પત્તિમાં વિઘ્નભૂત દૈવ બાધ કરતું હોય તેવા પણ જીવો, વિઘ્નભૂત એવાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org