________________
૧૨૭
દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૩૧
શયારમોડપિ'=સ્થતિસધ્ધથવપ્રવૃત્તિરપિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે માર્ગાનુસારિતા વગેરે તો ચારિત્રનાં લિંગ છે જ, પરંતુ શક્યારંભ પણ ચારિત્રનું લિંગ છે, અને “ધર્માદિ'માં ‘દિ'થી અર્થ-કામનું ગ્રહણ કરવું.
| ‘અનામો ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે આભોગમાં તો માર્ગની અનુસરણશીલતા છે, પરંતુ અનાભોગમાં પણ સદંધન્યાયથી માર્ગની અનુસરણશીલતા છે.
ભાવાર્થ :
ચારિત્રના લિંગો -
દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રનાં લિંગો પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – (૧) માર્થાનુસારિતા :
માર્ગનુસારિતા ચારિત્રીનું પ્રથમ લિંગ છે.
માર્ગાનુસારી પરિણામવાળા અર્થાત્ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને અનુસરણ કરે એવા પરિણામવાળા ચારિત્રી છે, અને આવા ચારિત્રી શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તો માર્ગનું અનુસરણ હોય છે, પરંતુ ક્વચિત્ શાસ્ત્રવચનાનુસાર ક્રિયામાં અનાભોગ વર્તતો હોય તોપણ સદંધન્યાયથી રત્નત્રયીને અભિમુખ જ ગમનસ્વભાવવાળા હોય છે.
જેમ જંગલમાં રહેલ અને અશાતાના ઉદયથી રહિત એવો અંધપુરુષ માર્ગમાં ગમન કરતો હોય ત્યારે ગર્તાદિના પરિહારપૂર્વક પોતાના ઇષ્ટ સ્થાનને અનુકૂળ ગમનક્રિયા કરતો હોય છે; તેમ સંસારમાં રહેલા, પણ શ્રુતચક્ષુથી રહિત એવા અનાભોગવાળા મુનિઓ, મોક્ષમાર્ગથી વિપરીત પ્રવૃત્તિઓનો પરિહાર કરીને રત્નત્રયીને અનુરૂપ યત્ન કરતા હોય છે; અને આવા શ્રુતચક્ષુથી વિહીન મુનિઓ, ગીતાર્થના વચનાનુસાર ઉપયુક્ત થઈને અનુસરણ કરતા હોય ત્યારે તો માર્ગનું અનુસરણ છે, પરંતુ ક્વચિત્ ગીતાર્થના વચનના વિષયમાં કોઈક સ્થાને બોધ સ્પષ્ટ ન થયો હોય, તેથી અનાભોગ વર્તતો હોય, તો પણ લક્ષ્યને અનુરૂપ યત્ન કરનારા ચારિત્રી છે. (૨) શ્રદ્ધા :
શ્રદ્ધા ચારિત્રીનું દ્વિતીય લિંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org