________________
૧૨૮
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ભગવાનના વચનાનુસાર શુદ્ધ અનુષ્ઠાન કરવાની તીવ્ર રુચિવાળા ચારિત્રી છે. (૩) પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ:
પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ ચારિત્રીનું તૃતીય લિંગ છે. શાસ્ત્રોના પરમાર્થને જાણનારા પંડિત પુરુષોની પ્રજ્ઞાપનામાં રતિવાળા ચારિત્રી છે અર્થાત્ કોઈક સ્થાનમાં પોતાને યથાર્થ અર્થબોધ ન થયો હોય તો તે અર્થવિશેષને પંડિત પુરુષો પાસેથી સાંભળવાની રતિવાળા અને તે પ્રમાણે ઉચિત આચરણાને કરવાની બળવાન ઇચ્છાવાળા ચારિત્રી છે. (૪) ગુણરાગ -
ગુણરાગ ચારિત્રીનું ચતુર્થ લિંગ છે.
ચારિત્રીને ગુણનો રાગ હોય છે અર્થાતુ પોતાનામાં જે ગુણો પ્રગટ્યા છે, તેના કરતાં અધિક ગુણવાળા પુરુષો પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોય છે. તેથી તેઓની ભક્તિ કરીને તેવા ગુણો પોતાનામાં પ્રગટ કરવાનો અભિલાષ રાખનારા ચારિત્રી છે. (૫) શક્યારંભ - શક્યારંભ ચારિત્રીનું પાંચમું લિંગ છે.
જો ચારિત્રી દેશવિરતિધર હોય તો પોતાના પ્રયત્નથી સાધી શકાય તેવા ધર્મ, અર્થ અને કામની પ્રવૃત્તિ કરનારા હોય છે, અને જો ચારિત્રી સર્વવિરતિધર હોય તો પોતાની કૃતિથી સાધ્ય એવું ધર્માનુષ્ઠાન કરીને ઉપરના સંયમના કંડકોની પ્રાપ્તિ કરવા માટે ઉદ્યમવાળા ચારિત્રી હોય છે.
આનાથી એ ફલિત થાય કે શ્રાવક પોતાના પ્રયત્નથી પ્રાપ્ત થઈ શકે તેવા ધર્મ, અર્થ અને કામમાં ઉદ્યમ કરનારા હોય છે, જેથી ક્લેશનો પરિહાર કરીને ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે; અને અર્થ અને કામ એ રીતે સેવે છે કે જેથી ધર્મનો બાધ ન થાય, પરંતુ અધિક અધિક ધર્મની શક્તિનો સંચય થાય; અને જો પોતાના પ્રયત્નથી સાધી ન શકાય તેવા અર્થ-કામાદિમાં યત્ન કરે તો ક્લેશની પ્રાપ્તિ થાય, અને ધર્મનો પણ બાધ થાય; અને પોતાના પ્રયત્નથી સાધ્ય ન હોય તેવું ધર્માનુષ્ઠાન સ્વીકારે તો તે ધર્માનુષ્ઠાન ઉત્તરોત્તરના સંયમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org