________________
૧૦૯
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ટીકાર્ય :
રૂલ્ય ....... પ્રયોપ્રમ્ | આ રીતે પૂર્વશ્લોક-૨૫માં કહ્યું એ રીતે, પ્રવાહથી પરસ્પર અપેક્ષાવાળા પણ બંને–દેવ અને પુરુષકાર, સ્વપ્રાધાન્યની અપેક્ષાએ બાધ્યબાધક છે એ બંનેમાંથી જે પ્રધાન હોય તે બાધક છે અને ગૌણ હોય તે બાધ્ય છે. અહીંઆ બંનેમાં=દેવ અને પુરુષકાર બંનેમાં, પ્રાય =બહુલતાથી, શરમાવર્તમા=અંત્ય પુગલ પરાવર્તમાં, યત્નથી દેવતો બાધ કરાય છે.
શ્લોકમાં કહેલ પ્રાયઃ શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે – તેવા પ્રકારની સંક્લેશ અવસ્થામાં નંદિષેણ મુનિએ સર્વવિરતિ ગ્રહણ કરીને મોહનું ઉભૂલત થાય તેવા પ્રકારનો પ્રયત્ન કર્યો, પરંતુ મોહતા ઉભૂલત માટે કરાતા તેમના પત્નને બાધ કરે તેવા ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જનિત તેવા પ્રકારની સંક્લેશ અવસ્થામાં, નંદિ ણ મુનિ આદિની જેમ ક્યારેક વ્યત્યય પણ થાયચરમાવર્તિમાં ક્યારેક “દેવ પુરુષકારનો બાધ કરે', એ પ્રકારનો વ્યત્યય પણ થાય. તેથી ‘પ્રાયઃ'નું ગ્રહણ છે. ૨૬
‘વ્યત્યયોગ’ - અહીં ‘મા’ થી એ કહેવું છે કે ચરમાવર્તમાં પુરુષકારથી દેવનો બાધ તો થાય, પરંતુ વ્યત્યય પણ થાય=દેવથી પુરુષકારનો બાધ પણ થાય છે. ભાવાર્થચરમાવર્તમાં પ્રાયઃ પુરુષકારથી દેવની બાધા :
પૂર્વશ્લોક-રપમાં બતાવ્યું એ પ્રમાણે પ્રવાહથી દેવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષાવાળા છે, તોપણ દેવ અને પુરુષકારમાં જે કાર્ય કરવામાં પ્રધાનરૂપે પ્રવર્તતું હોય તે અન્યને સહાયક પણ હોય છે તેમ બાધ કરનાર પણ હોય છે. તેથી દેવ અને પુરુષકાર વચ્ચે પરસ્પર બાધ્યબાધકભાવ છે.
ચરમાવર્ત પૂર્વે જીવની સર્વ પ્રવૃત્તિ કર્મની પ્રધાનતાથી થાય છે. તેથી કર્મ બાધક છે અને જીવનો પુરુષકાર બાધ્ય છે; કેમ કે જીવ પોતાના હિત અર્થે પ્રવૃત્તિ કરે છે, તોપણ ચરમાવર્ત પૂર્વે તેનું દેવ તેને અહિતમાં પ્રવર્તાવે છે. આથી ચરમાવર્ત બહારના જીવો આત્મહિત સાધી શકતા નથી. જ્યારે ગરમાવર્તમાં આવેલા જીવોનું દેવ કંઈક શિથિલ થયેલું હોય છે, તેથી ચરમાવર્તવર્તી જીવોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org