SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ દેવ પ્રાયઃ યત્નથી બાધ પામે છે. આથી શરમાવર્તવર્તી જીવો તત્ત્વાતત્ત્વની વિચારણા કરીને આત્મહિત સાધવા માટે જે કંઈ ઉદ્યમ કરે છે, તેના દ્વારા આત્માના અહિત કરનારું મોહનીયાદિકર્મ તેમના યત્નથી બાધ પામે છે; છતાં ચરમાવર્તમાં ક્યારેક દૈવથી પુરુષકારનો પણ બાધ થાય છે. તે બતાવવા માટે પ્રાયઃ શબ્દ શ્લોકમાં કહેલ છે. જેમ કે નંદિષેણ મુનિએ મોહનું ઉમૂલન કરવા માટે સંયમ ગ્રહણ કર્યું, તોપણ સંયમને અનુકૂળ પરાક્રમ ફોરવવામાં તેવા પ્રકારના સંક્લેશને ઉત્પન્ન કરનાર ચારિત્રમોહનીયકર્મ તેમના પુરુષકારને બાધ કરે છે. તે રીતે ચરમાવર્તમાં આવેલા જીવો પણ આત્મહિત માટે પ્રવર્તતા હોય, અને દૈવ તેમના માર્ગાનુસારી ક્ષયોપશમને અલના પમાડતું હોય, તો તેમનો પુરુષકાર દેવથી બાધ પામે છે. જેમ કે પૂર્વભવમાં સંયમમાં ઉદ્યમ કરનારા બ્રહ્મદત્ત ચક્રવર્તીના જીવને દર્શનમોહનીયકર્મ નિયાણામાં યત્ન કરાવીને તેમના પુરુષકારનો બાધ કર્યો, જેના કારણે દુર્લભબોધિપણાની પ્રાપ્તિ થઈ. તે રીતે ચરમાવર્તવાળા જીવો શ્રુતાભ્યાસ કરતા હોય, દર્શનશુદ્ધિના ઉપાયો સેવતા હોય કે ચારિત્રશુદ્ધિના ઉપાયો સેવતા હોય, ત્યારે પણ પ્રમાદ આપાદક કર્મ તેમના પુરુષકારને સ્કૂલના કરે છે. વળી તે જીવો માર્ગાનુસારી સ્વપરાક્રમથી જ્ઞાનાદિમાં યત્ન કરતા હોય તો તેમના પરાક્રમથી જ્ઞાનાવરણીયાદિ કર્મનો પણ બાધ થાય છે. કા. અવતરણિકા - પૂર્વશ્લોક-૨૬માં કહ્યું કે ચરમાવર્તમાં પ્રાયઃ યત્નથી દેવ બાધ પામે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ ગ્રંથિભેદ કર્યો નથી, એવા પણ ચરમાવર્તવર્તી જીવોમાં જે માર્ગાનુસારી બુદ્ધિ છે, તેનાથી યત્ન કરીને તેઓ દેવતો બાધ કરે છે, અને તેવા જીવો માર્ગાનુસારી બુદ્ધિ દ્વારા ગ્રંથિભેદ કરે છે, અને ઉચિત પ્રવૃત્તિ દ્વારા ક્રમે કરીને સંસારનો અંત કરે છે. તે બતાવવા માટે કહે છે – શ્લોક : एवं च ग्रन्थिभेदोऽपि यत्नेनैव बलीयसा । औचित्येन प्रवृत्तिः स्यादूर्ध्वं तस्यैव चोदनात् ।।२७।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy