________________
દૈવપુરુષકારદ્વાત્રિંશિકા|પ્રસ્તાવના
આ રીતે પ્રસ્તુત દ્વાત્રિંશિકામાં સ્યાદ્વાદસાપેક્ષ દૈવ અને પુરુષકારનો સમન્વય જોવા મળે છે. નવ્ય ન્યાયની શૈલીમાં રચાયેલી, કઠિન જણાતી આ દ્વાત્રિંશિકાને પંડિતપ્રવર શ્રી પ્રવીણભાઈએ ખૂબ સુંદર રીતે સમજાવવા અથાગ પ્રયત્ન કરેલ છે. જૈનદર્શનનો સ્યાદ્વાદ સચરાચર વિશ્વને યથાર્થરૂપે જોવા માટે દિવ્ય ચક્ષુ આપે છે, એ ભગવાનની વાણીના સાર સ્વરૂપ ધ્રુવપુરુષકારનો સ્યાદ્વાદસાપેક્ષ સમન્વય આ દ્વાત્રિંશિકામાં જે પ્રાપ્ત થાય છે, તે મોક્ષનું
અનુપમ સાધન છે.
૪
યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી અને યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના તથા પ. પૂ. યશોવિજયજી મહારાજ સાહેબના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો, અને સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ, જે જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમના દ્વારા કરાયેલા ગ્રંથોના વિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કાર્ય કરેલ છે.
આ ‘દૈવપુરુષકારદ્વાત્રિંશિકા'ના ગુજરાતી વિવરણના પ્રૂફસંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તથા સાદ્યંત પ્રસંશોધનાદિ કાર્યમાં સા. દૃષ્ટિરત્નાશ્રીનો અને સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
આ દ્વાત્રિંશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંપાદનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડં” માંગું છું.
પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપરઉપકારક બને, દેવપુરુષકારના સાપેક્ષ સમન્વયરૂપ સ્યાદ્વાદનું જ્ઞાન આત્મકલ્યાણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org