________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/પ્રસ્તાવના
ત્યારપછી કેટલાક લોકો “દુષ્ટ કારણોથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત થાય છે, માટે અદૃષ્ટને કારણ માનવાની જરૂર નથી” એમ કહે છે. તે માન્યતાનું નિરાકરણ શ્લોક-૧૫માં કરેલ છે.
દેવ અને પુરુષકાર આત્મકલ્યાણમાં કઈ રીતે ઉપયોગી થાય છે, તે શ્લોક૨૬માં જણાવતાં કહ્યું કે ચરમાવર્ત પૂર્વે જીવની સર્વ પ્રવૃત્તિ કર્મની પ્રધાનતાથી થાય છે, તેથી કર્મ=દેવ પ્રધાન છે, બાધક છે, અને જીવનો પુરુષકાર બાધ્ય બને છે. તેથી જીવ હિતના અર્થે પ્રવૃત્તિ કરે તો પણ તેનું દેવ તેને અહિતમાં પ્રવર્તાવે છે, જ્યારે ચરમાવર્તમાં દેવ શિથિલ છે, તેથી દેવ યત્નથી બાધ પામે છે.
ગ્રંથિભેદ પછી બળવાન યત્નની પ્રેરણાથી જ સર્વત્ર ઔચિત્યથી પ્રવૃત્તિ થાય છે, તો ઉપદેશક નિરર્થક થશે, તેવી શંકાનું સમાધાન શ્લોક-૨૮-૨૯માં કર્યું.
ત્યારપછી જીવ ઉચિત પ્રવૃત્તિ કરતાં પ્રથમ ભિન્નગ્રંથિ, પછી ક્રમે કરીને દેશવિરતિ અને સર્વવિરતિરૂપ પૂર્ણ ધર્મનું સામર્થ્ય પ્રગટે તદર્થે શક્તિ સંચય કરે છે, અને જ્યારે મોહનીયકર્મની અંતઃકોટાકોટી પ્રમાણ સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકૃત્વ કર્મસ્થિતિનો વ્યય થાય છે, ત્યારે સમ્યગ્દષ્ટિ જીવ દેશવિરતિ ચારિત્રને અને ત્યારપછી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ કર્મસ્થિતિનો હ્રાસ થાય ત્યારે સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરે છે, એમ શ્લોક-૩૦માં બતાવ્યું.
શ્લોક-૩૧માં ચારિત્રનાં પાંચ લિંગો બતાવી અંતિમ શ્લોક-૩૨માં ચારિત્રીને પ્રાપ્ત પરમાનંદ કેવો હોય છે, તે બતાવે છે. પુણ્યના ઉદયથી અનુકૂળ સામગ્રીમાં સંસારમાં જીવો જે સ્વસ્થતાકૃત સુખ અનુભવે છે, તે ક્ષણમાત્રભાવી છે; જ્યારે ભોગની ઇચ્છાની વિશ્રાંતિ તરફ જતા દેશવિરતિધર શ્રાવકોને ભોગતૃષ્ણા ઘટવાથી ચિત્તના સ્વાથ્યની વૃદ્ધિ થતી જાય છે. માટે સંસારી જીવો કરતાં દેશવિરતિધર શ્રાવકની સ્વસ્થતા ઉત્કૃષ્ટ અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી હોય છે; અને સર્વવિરતિને યોગ્ય શક્તિ સંચિત થતાં સર્વવિરતિ ગ્રહણ કરે ત્યારે સર્વથા ભોગતૃષ્ણાથી રહિત ચિત્ત થતાં ચિત્તનું સ્વાસ્થ દેશવિરતિધર કરતાં સર્વવિરતિધરને અધિક પ્રગટે છે; અને આ જ પ્રવૃત્તિ ઉત્તરોત્તર સુખવૃદ્ધિ દ્વારા ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન, સર્વસંવર અને અંતે મોક્ષમાં વિશ્રાંત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org