________________
દેવપુરુષકારદ્વાબિંશિકા/શ્લોક-૨૫-૨૬
૧૦૭ કોઈ જીવ ધનપ્રાપ્તિને અનુકૂળ એવા કર્મના વિપાકકાળમાં ધનાદિપ્રાપ્તિ અર્થે પુરુષકાર કરે છે, અને તે વખતે પૂર્વનું દૈવ વર્તમાનના પુરુષકાર દ્વારા ફળ આપે છે. તેથી આ પ્રકારના કાર્યકારણમાં દૈવ મુખ્ય છે અને પુરુષકાર દ્વાર” હોવાથી ગૌણ છે, તોપણ ગૌણમુખ્યતાથી બંને પરસ્પર અપેક્ષાવાળા છે.
વળી તે પુરુષના વર્તમાનના ધનાદિ માટેના પ્રયત્નકાળમાં જે કર્મ બંધાય છે, તે કર્મબંધ ફરી તે પ્રકારના પુરુષકાર દ્વારા ફળ આપે છે. આ રીતે દેવ અને પુરુષકારનો પ્રવાહ ચાલે છે.
તેથી એ ફલિત થાય કે વર્તમાનના પુરુષકારથી દેવની પ્રાપ્તિ છે, અને તે દેવ દ્વારા ફળપ્રાપ્તિ થાય છે, અને તે ફળપ્રાપ્તિકાળમાં વિપાકમાં આવેલ દેવ ત્યારે પુરુષકાર દ્વારા ફળ આપે છે. આ રીતે દૈવથી પુરુષકાર અને પુરુષકારથી દૈવ, એ રીતે પ્રવાહથી પણ દેવ અને પુરુષકાર વચ્ચે પરસ્પર અપેક્ષા છે; અને ફળપ્રાપ્તિ પ્રત્યે જ્યારે દેવ પુરુષકાર દ્વારા કારણ છે, એ પ્રકારની વિરક્ષા કરવામાં આવે ત્યારે પુરુષકાર વ્યાપાર છે દેવ વ્યાપારી છે, તેથી દૈવ મુખ્ય છે અને પુરુષકાર ગૌણ છે; અને જ્યારે વર્તમાનનો પુરુષકાર દેવ દ્વારા જન્માન્તરમાં ફળ આપે છે, એ પ્રકારની વિવક્ષા કરવામાં આવે ત્યારે વર્તમાનનો પુરુષકાર વ્યાપારી છે અને દૈવ વ્યાપાર=દ્વાર છે. તે સ્થાનમાં વર્તમાનનો પુરુષકાર મુખ્ય છે અને દેવ વ્યાપાર હોવાથી ગૌણ છે.
આ રીતે પ્રવાહની અપેક્ષાએ દેવ અને પુરુષકારમાં વ્યાપાર-વ્યાપારીભાવરૂપે ગૌણ-મુખ્યભાવ છે. રપા અવતરણિકા :નિશ્ચયનયથી દેવ અને પુરુષકાર કાર્ય પ્રતિ કઈ રીતે કારણ છે, તે શ્લોક-૨માં બતાવ્યું. ત્યારપછી વ્યવહારનયથી પરસ્પર અપેક્ષા રાખીને દેવ અને પુરુષકાર કાર્ય પ્રતિ કઈ રીતે કારણ છે, તે શ્લોક-પમાં બતાવ્યું. ત્યારપછી દેવ અને પુરુષકારની પરસ્પર અપેક્ષા ત્રણ પ્રકારે છે, તે શ્લોક-૨૫ સુધી બતાવ્યું. હવે દેવ અને પુરુષકાર આત્મકલ્યાણમાં કઈ રીતે ઉપયોગી થાય છે, તે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org