________________
૧૦૬
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫
જેમ અધ્યયન કરનાર પુરુષને પોતાના અધ્યયનની પ્રવૃત્તિથી યથાર્થ બોધ કરવામાં પૂર્વનો શ્રુત-જ્ઞાનાવરણ-કર્મનો ક્ષયોપશમ સહાયક બને છે. તેથી અધ્યયનની ક્રિયા નવા શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ પ્રત્યે મુખ્ય કારણ છે, અને પૂર્વનો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ સહાયક છે તેથી ગૌણ કારણ છે.
(૨) દૈવ અને પુરુષકાર વચ્ચે બાધ્યબાધકરૂપે ગૌણમુખ્યતા :
શ્લોક-૧૭માં બતાવ્યું કે દૈવ અને પુરુષકારની વિચારણામાં જે બળવાન હોય તે નિર્બળને હણે છે. તે રીતે ફળનિષ્પત્તિ પ્રત્યે દૈવ અને પુરુષકાર પરસ્પર બાધ્યબાધકરૂપે પ્રવૃત્ત છે, અને જે બાધ્ય હોય તે ગૌણ છે અને બાધક હોય તે મુખ્ય છે.
જેમ કોઈ પુરુષ શ્રુતાભ્યાસ માટે યત્ન કરતો હોય, ત્યારે જો તેને શ્રુતનું જ્ઞાન યથાર્થ થાય તો તેના પુરુષકારથી તે શ્રુતજ્ઞાનના આવા૨ક કર્મનો બાધ થાય છે. તેથી અભિનવ શ્રુતની પ્રાપ્તિ પ્રતિ તે પુરુષનો પુરુષકાર પ્રતિબંધક એવા કર્મનો બાધક છે માટે મુખ્ય છે, અને અભિનવ શ્રુતની પ્રાપ્તિનાં પ્રતિબંધક એવાં કર્મો બાધ્ય છે માટે ગૌણ છે; અને જો તે પુરુષ શ્રુતાભ્યાસ માટે યત્ન કરતો હોય, છતાં યથાર્થ બોધ ન થાય, તો તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ તેના પુરુષકારને સમ્યગ્બોધ કરવામાં સ્ખલના કરે છે. તેથી પુરુષકાર બાધ્ય બને છે અને દૈવ બાધક બને છે. આ અભ્યાસની ક્રિયામાં જે બાધક છે તે મુખ્ય છે, અને બાધ્ય છે તે ગૌણ છે. આ રીતે ફળનિષ્પત્તિ પ્રત્યે દૈવ અને પુરુષકાર બાધ્યબાધકરૂપે પરસ્પર અપેક્ષાવાળા છે.
ત્રીજા પ્રકારે દૈવ અને પુરુષકાર વચ્ચે ગૌણમુખ્યભાવ છે. તે પ્રસ્તુત શ્લોકમાં સ્પષ્ટ કરે છે.
(૩) દૈવ અને પુરુષકાર વચ્ચે પ્રવાહની અપેક્ષાએ ગૌણમુખ્યતા વર્તમાનમાં જીવના અધ્યવસાય પ્રમાણે કર્મ બંધાય છે, અને તે કર્મના વિપાકકાળમાં વર્તમાનના કૃત્યનું ફળ મળે છે. તેથી વર્તમાનનો જીવનો અધ્યવસાય કર્મબંધ દ્વારા ફળ આપે છે. તેથી આ પ્રકારના કાર્યકારણમાં પુરુષકાર મુખ્ય છે અને કર્મ ‘દ્વાર' હોવાથી ગૌણ છે, તોપણ ગૌણમુખ્યતાથી બંને પરસ્પર અપેક્ષાવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org