________________
૧૦૫
દેવપુરુષકારાસિંશિકા/શ્લોક-૨૫
આ પ્રકારનું કથન ગ્રંથકારશ્રીએ શ્લોકના પૂર્વાર્ધથી કર્યું. ગ્રંથકારશ્રીના શ્લોકના પૂર્વાર્ધમાં કરાયેલા આ કથન સામે પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે કે “દેવ અને પુરુષકારને પરસ્પર અપેક્ષા છે” એ પ્રકારની વિચારણામાં તમારા કથનથી શું પ્રાપ્ત થયું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વમાં જે અમે કહ્યું તેનાથી એ પ્રાપ્ત થયું કે પૂર્વના કર્મથી દાનાદિકાળ વખતે વર્તમાનમાં ભાવ=પરિણામ=પુરુષકાર થાય છે, અને વર્તમાનના ભાવથી=વર્તમાનના પુરુષકારથી, તેવું કર્મ બંધાય છે. આ રીતે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકારને પરસ્પર અપેક્ષા છે, એમ સિદ્ધ થાય છે.
આનાથી એ ફલિત થયું કે ભૂતકાળમાં કોઈક નિમિત્તને પામીને જીવને એવો જ શુભ ભાવ થયો કે તે શુભ ભાવને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાયેલું, અને તે પુણ્યાનુબંધી પુણ્ય વર્તમાનમાં દાનાદિ પ્રવૃત્તિ કરતી વખતે શુભ ભાવ ઉત્પન્ન કરે છે, અને આ શુભભાવથી નવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આ રીતે પૂર્વ-ઉત્તર-ભાવરૂપે પરસ્પર દેવ અને પુરુષકાર અપેક્ષાવાળા છે.
આ શ્લોકમાં બતાવેલા ત્રીજા વિકલ્પ પ્રમાણે કહેવામાં આવે કે દેવ પુરુષકાર દ્વારા ફળ આપે છે, ત્યારે દેવ મુખ્ય બને છે અને પુરુષકાર ગૌણ બને છે, અને પુરુષકાર દેવ દ્વારા ફળ આપે છે, ત્યારે પુરુષકાર મુખ્ય બને છે અને દેવ ગૌણ બને છે; કેમ કે જે વ્યાપારસ્થાનીય છે, તે ગૌણ છે, અને વ્યાપારી છે તે મુખ્ય છે.
અહીં વિશેષ એ છે કે શ્લોક-પમાં કહ્યું કે વ્યવહારનય દેવ અને પુરુષકારને ગૌણ-મુખ્યરૂપે સર્વત્ર હેતુ સ્વીકારે છે; અને તે ગૌણ-મુખ્યતા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) દેવ અને પુરુષકાર વચ્ચે સહકારી સહકાર્યરૂપે ગૌણમુખ્યતા :
ફળનિષ્પત્તિ પ્રત્યે અનુત્કટ હોય તે ગૌણ હોય અને ઉત્કટ હોય તે મુખ્ય હોય, તેમ શ્લોક-કમાં બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે ફળનિષ્પત્તિ પ્રત્યે કોઈક સ્થાનમાં દેવ કે પુરુષકારમાંથી એક ઉત્કટ હોય અને અન્ય અનુત્કટ હોય અને જે અનુત્કટ હોય તે ઉત્કટને કાર્ય કરવામાં સહકારી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org