________________
૧૦૪
દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૨૫ ભિષરૂપપણાથી પ્રવૃત્ત એવો ભાવ છે, અને આ ફળભેદ, તસ્વભાવવાળો છે=ભાવભેદની અપેક્ષાએ ઉત્પત્તિવાળા એવા વિચિત્ર સ્વભાવવાળો છે.
કૃતિ' શબ્દ ગ્રંથકારશ્રીના કથનની સમાપ્તિમાં છે. પર પૂછે છે – એ રીતે શ્લોકના પૂર્વાર્ધનું કથન કર્યું એ રીતે, આ વિચારમાં દેવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષાવાળા છે, એ વિચારમાં, શું સિદ્ધ થાય ? તેમાં કહે છે પરના પ્રશ્નમાં ગ્રંથકારશ્રી કહે છે –
આનાથી જ કર્મથી જ, ભાવ થાય, અને તો હિંગત વ માવા= આ જ ભાવથી, એવા આ કર્મ, થાય, અને તે રીતે=પરના પ્રશ્નનો ઉત્તર આપ્યો તે રીતે, આ બંનેનું દેવ અને પુરુષકાર બંનેનું પ્રવાહથી પણ પરસ્પર અપેક્ષાપણું સિદ્ધ છે, એ પ્રમાણે ભાવ છે. પુરપા.
‘પ્રવાહેપ’ - અહીં ‘પ' થી એ કહેવું છે કે સહાયરૂપે અને બાધ્યબાધકરૂપે તો દેવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષાવાળા છે, પરંતુ પ્રવાહરૂપે પણ પરસ્પર અપેક્ષાવાળા છે. ભાવાર્થ :દેવ અને પુરુષકાર વચ્ચે પ્રવાહથી પણ પરસ્પર અપેક્ષાના સ્વીકારની યુક્તિ :| ભિન્ન ભિન્ન નિમિત્તોથી ઉપાર્જિત એવા શુભ કર્મના પરિણામે દાનાદિકાળમાં ભિન્ન ભિન્ન ભાવો થાય છે. તેથી પૂર્વ ભવમાં ભિન્ન ભિન્ન નિમિત્તોને પામીને જીવે જે શુભ કર્મો બાંધ્યાં, તે શુભ કર્મોના બળથી વર્તમાનમાં દાન, શીલાદિ સુકૃત કરતી વખતે ભિન્ન ભિન્ન ભાવો થાય છે, અને તે ભિન્ન ભિન્ન ભાવોને કારણે દાનાદિકાળમાં ફળભેદ થાય છે અર્થાત્ દાનાદિ કૃત્યોથી ભિન્ન ભિન્ન પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળ દાનાદિકાળમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ જે પુરુષને દાનાદિકાળમાં અતિશય શુભ ભાવ થાય છે, તે પુરુષને તે ભાવથી અતિશય પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળ થાય છે, અને જે પુરુષને દાનાદિ કાળમાં અલ્પ ભાવ થાય છે, તે પુરુષને દાનાદિ કૃત્યોથી અલ્પ પુણ્યબંધ અને અલ્પ નિર્જરા થાય છે; કેમ કે ભાવભેદની અપેક્ષાએ ઉત્પત્તિવાળા એવા વિચિત્ર સ્વભાવવાળો ફળભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org