________________
૧૦૨
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪-૨પ પ્રવૃત્તિ કરવાની પ્રેરણા કરે તેવું પણ કર્મ હોય છે, અને તે કર્મથી પ્રેરાઈને જીવ દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ કરવા માટે પ્રેરાય છે. તેથી સંસારી જીવોની સંસારી પ્રવૃત્તિ જેમ કર્મથી પ્રેરાઈને થાય છે, તેમ દાનાદિ વિષયક પ્રવૃત્તિ પણ કર્મથી પ્રેરાઈને થાય છે; અને દાનાદિ પ્રવૃત્તિ કરનાર જીવોમાં વિવેક પ્રગટે તો તે પ્રવૃત્તિકાળમાં સંવેગની વૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ પણ થાય; અને જે જીવોને તેવો વિવેક નથી, તેઓ માત્ર દાનાદિ પ્રવૃત્તિ કરીને હું ધર્મનું સેવન કરું છું તેટલી જ બુદ્ધિ કરે છે. તેથી તેવા જીવો અધિક દાનાદિ કરે ત્યારે અધિક ધર્મનું સેવન થયું અને અલ્પ દાનાદિ કરે ત્યારે અલ્પધર્મનું સેવન થયું, અથવા અધિક તપ કરે ત્યારે અધિક તપધર્મનું સેવન થયું અને અલ્પ તપ કરે ત્યારે અલ્પ તપધર્મનું સેવન થયું, તેટલી જ બુદ્ધિ થાય છે, પરંતુ સમાન તપમાં ભાવનો ઉત્કર્ષ અને અપકર્ષ તેવા જીવો પ્રાપ્ત કરી શકતા નથી; અને વિવેકી જીવો સ્વપરાક્રમના બળથી ક્યારેક અલ્પ પણ ધર્માનુષ્ઠાનમાં મહાસંવેગ ઉત્પન્ન કરી શકે છે, અને ક્યારેક એવા વીર્યનો પ્રકર્ષ ન થાય તો મોટા ધર્માનુષ્ઠાનમાં પણ અલ્પ સંવેગ ઉત્પન્ન કરી શકે છે, તે પુરુષકારના બળથી થાય છે. તેથી સમાન દાનાદિ ક્રિયામાં ફેલભેદનું કારણ પુરુષકારનો ભેદ છે તેમ માનવું જોઈએ. આથી કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર કારણ છે, તેમ સિદ્ધ થાય છે. ll૨૪ll અવતરણિકા :
પૂર્વશ્લોક-૨૪માં કહ્યું કે કર્મ પુરુષકારને આક્ષેપ કરે છે, તેમ સ્વીકારીએ, તો દાનાદિ સુકૃતવિશેષમાં ભાવભેદથી ફળભેદ થાય છે, તે સંગત થાય નહીં. તેથી દેવ અને પુરુષકાર બંને પરસ્પર અપેક્ષાવાળા છે, એમ સ્વીકારવું જોઈએ. હવે દેવ અને પુરુષકારની પરસ્પર કયા પ્રકારની અપેક્ષા છે, તે બતાવતાં કહે છે – શ્લોક :
शुभात्ततस्त्वसौ भावो हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यादत एवास्त्वतो ह्यदः ।।२५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org