________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪
૧૦૧ આનાથી એ ફલિત થાય કે જે જીવો દાન, શીલ, તપ અને ભાવમાં ઉદ્યમ કરે છે, તેમાં કેટલાક જીવો દાનની ક્રિયા કરતા હોય છે, કેટલાક જીવો શીલના આચાર પાળતા હોય છે, કેટલાક જીવો તપાદિ ક્રિયાઓ કરતા હોય છે અને કેટલાક જીવો દુષ્કતની ગર્તા અને સુકૃતની અનુમોદનાદિ ભાવોમાં યત્ન કરતા હોય છે; તોપણ તે જીવોને દાનાદિ યત્નકાળમાં ભાવભેદની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પૂર્વમાં જે દાનની ક્રિયા કરી, તેવી જ દાનની ક્રિયા અત્યારે હું કરું છું.” તેવી પ્રતીતિ થાય છે. આવા જીવોમાં દાનાદિ ક્રિયા વખતે ફળભેદના હેતુ એવા ભાવના પ્રકર્ષ-અપકર્ષરૂપ પરિણામનો ભેદ નથી. તેથી તેવા જીવોને આશ્રયીને કહી શકાય કે દાનાદિ ક્રિયા પણ તેઓ દૈવથી પ્રેરાઈને કરે છે; પરંતુ જે જીવોમાં કંઈક વિવેક પ્રગટેલો છે, તેઓ વિચારે છે કે દાન, શીલ, તપ અને ભાવની ક્રિયા સંવેગના અતિશય દ્વારા મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે, અને સંવેગ વગરની દાનાદિ ક્રિયાઓ મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામતી નથી, અને મોક્ષના અર્થી એવા તે જીવો દાનાદિકાળમાં સંવેગની વૃદ્ધિને અનુકૂળ પ્રણિધાન આદિ આશયોમાં યત્ન કરે છે. તેવા જીવોને સમાન દાનાદિ ક્રિયામાં કોઈક વખતે સંવેગનો પ્રકર્ષ અનુભવસિદ્ધ છે, અને કોઈક વખતે સંવેગનો અપકર્ષ અનુભવસિદ્ધ છે; અને શાસ્ત્ર પણ કહે છે કે સમાન દાનાદિ ક્રિયા કરનાર પુરુષ જ્યારે સંવેગના પ્રકર્ષથી દાન કરે ત્યારે મહાફળ થાય છે, અને સંવેગના અપકર્ષથી દાન કરે ત્યારે અલ્પફળ થાય છે, અને સંવેગશૂન્ય દાનાદિ કરે તો તે દાનાદિ ક્રિયા મોક્ષને અનુકૂળ પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરાનું કારણ બનતી નથી. આ પ્રકારે વિવેકી લોકનો અનુભવસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ વ્યવહાર તો જ સંગત થાય કે “પૂર્વના દૈવથી પ્રેરાઈને પુરુષ દાનાદિ સુકૃતમાં પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પણ પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળમાં સંવેગને અનુકૂળ પુરુષાર્થકૃત તરતમતા પ્રાપ્ત થાય છે” એમ સ્વીકારવામાં આવે.
આનાથી એ સિદ્ધ થાય કે દાનાદિ સુકૃત દ્વારા બંધાતા પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર ઉભય કારણ છે.
અહીં વિશેષ એ છે કે સંસારી જીવોને સંસારની પ્રવૃત્તિઓ કરવાની મનોવૃત્તિઓ થાય છે, તેમાં તે મનોવૃત્તિઓને ઉત્પન્ન કરાવે તેવું કર્મ હોય છે. તેમ ધર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org