________________
૧૦૦
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ કાર્યના હેતુ એવા પુરુષકારનો આક્ષેપ કર્મ કરે છે, તેમ માનીએ તો કોઈ પુરુષ દાનાદિ સુકૃત સેવતો હોય ત્યારે જે જે પ્રકારે શાસ્ત્રમાં અને લોકમાં ભાવભેદને કારણે ફળભેદ પ્રસિદ્ધ છે, તે તે પ્રકારે ફળભેદ સંગત થાય નહીં અર્થાત્ સુકૃતના ફળરૂપ પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરારૂપ ફળમાં પ્રકર્ષ-અપકર્ષની પ્રાપ્તિ થાય છે, તે સંગત થાય નહીં, કેમ કે પુરુષકારનું આક્ષેપક કર્મ હોય તો સમાન પ્રકારની દાનાદિ ક્રિયાનું આક્ષેપક કર્મ સમાન પ્રકારે દાનાદિ ક્રિયા કરાવીને સમાન પુણ્યાનુબંધી પુણ્ય કે સમાન નિર્જરાદિ ફળની પ્રાપ્તિ કરાવે.
વસ્તુતઃ પૂર્વના દેવથી પ્રેરાઈને જીવ દાનાદિ સુકૃતમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ, તે સુકૃતકાળમાં વર્તતા ભાવભેદ પ્રત્યે તેનો પુરુષકારવિશેષ કારણ છે. તેથી સમાન દાનાદિ ક્રિયા કરનારા પુરુષમાં કોઈક કાળે ભાવનો પ્રકર્ષ થાય છે, તો કોઈક અન્ય કાળે ભાવનો અપકર્ષ થાય છે.
તેથી એ ફલિત થાય કે દૈવથી પ્રેરાઈને જીવ દાનાદિ સુકૃતમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ જે ભાવભેદ થાય છે, તેના પ્રત્યે તે જીવનો પુરુષકાર કારણ છે. તેથી સમાન દાનાદિ કૃત્યોથી પણ ફળભેદની પ્રાપ્તિ થાય છે. માટે દાનાદિ સુકૃતની ફળનિષ્પત્તિ પ્રત્યે જેમ દેવ કારણ છે, તેમ પુરુષકાર પણ કારણ છે.
હવે જો દેવથી જ કાર્યને અનુકૂળ પુરુષકારનો આક્ષેપ થતો હોય અને કાર્ય થતું હોય, તો કોઈ પુરુષ પૂર્વની સદશ દાનાદિ ક્રિયા કરે ત્યારે સદશ જ ભાવ થવો જોઈએ, પરંતુ ફળભેદના કારણભૂત ભાવનો ભેદ થવો જોઈએ નહીં; કેમ કે ભાવભેદના નિયામક એવા પુરુષકારથી વિકલ એવા કર્મથી કાર્યને અનુકૂળ પુરુષકાર આક્ષિપ્ત થાય છે; અને તેમ માનીએ તો સમાન દાનાદિ સુતકાળમાં સમાન પુણ્યબંધ અને સમાન નિર્જરાની પ્રાપ્તિરૂપ ફળ થવું જોઈએ, પરંતુ પ્રકર્ષ-અપકર્ષરૂપ ફળભેદ થાય નહીં, કારણ કે ભાવભેદના નિયામક એવા પુરુષકાર વગર ફળના હેતુ એવા કર્મના એકાકારત્વની પ્રાપ્તિ છે. તેથી દેવથી પ્રેરાઈને પુરુષકારનો આક્ષેપ થતો હોય તો સમાન દાનાદિ સુકૃતનું ફળ સદા સમાન જ પ્રાપ્ત થવું જોઈએ, અને તેમ થતું નથી. માટે કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર બંને કારણ છે, તેમ સ્વીકારવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org