________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ આક્ષેપમાં ફળના હેતુ એવા પુરુષકારના આક્ષેપમાં, સુકૃતવિશેષરૂપ દાનાદિ કસાયે છતે ભાવભેદથી ભાવના તારતમ્યસ્વરૂપ પરિણામવિશેષથી, તથા તથા તે તે પ્રકારે શાસ્ત્રાદિસંગત એવો શાસ્ત્ર અને લોકથી સિદ્ધ એવો, ફળનો ભેદ=પ્રકર્ષ-અપકર્ષરૂપ ફળનો ભેદ, કેવી રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહિ.
દેવ પુરુષકારનો આક્ષેપ કરે છે, તેમ સ્વીકારવામાં આવે તો દાનાદિમાં ભાવભેદને કારણે થતો ફળભેદ સંગત થાય નહીં. તે યુક્તિથી બતાવે છે --
તેવા પ્રકારના પુરુષકારથી વિકલ એવા કર્મથી ભાવભેદને કારણે થતા ફળભેદનો હેતુ બને તેવા પ્રકારના પુરુષકારથી વિકલ એવા કર્મથી, ફળનો
સ્વીકાર કરાયે છતે, કોઈ રીતે તેની ચિત્રતા ઘટે નહીં=પ્રકર્ષ-અપકર્ષરૂપ ફળભેદની ચિત્રતા ઘટે નહીં, કેમ કે પુરુષકાર વિના ફળના કારણ એવા કર્મના એકાકારત્વની પ્રાપ્તિ છે. એ હેતુથી કર્મ પુરુષકારનો આક્ષેપ કરે છે, તેમ સ્વીકારીએ તો દાનાદિમાં ભાવભેદથી ફળભેદ સંગત થાય નહીં એ હેતુથી, પરસ્પર અપેક્ષાવાળા આ બંને દેવ અને પુરુષકાર, સ્વીકારવા જોઈએ.
રૂતિ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. રજા ભાવાર્થ :કર્મની યોગ્યતાથી જ કાર્યનિષ્પત્તિ સ્વીકારીને પુરુષકારને કર્મના બાધકરૂપે અસ્વીકાર કરનાર દષ્ટિનું નિરાકરણ :
કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતા પ્રતિમાનો આક્ષેપ કરે છે, તેથી પ્રતિમાને ઘડવાનો પુરુષકાર પ્રતિમાનિર્માણ દ્વારા પ્રતિમાની યોગ્યતાનો બાધક છે, એમ જે પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તેમ માનવાની જરૂર નથી. તેની જેમ દેવસંશિત કર્મ પણ સુકૃતાદિ કાર્ય કરવા પ્રત્યે પુરુષકારનો આક્ષેપ કરે છે, તેથી પુરુષકાર કર્મનો બાધક છે, તેમ માનીને સર્વ કાર્ય પ્રત્યે બાધ્યબાધકભાવરૂપે દેવ અને પુરુષકાર બંને પરસ્પર અપેક્ષાવાળા છે, તેમ માનવાની જરૂર નથી, પરંતુ કર્મ જ પુરુષકારનો આક્ષેપ કરીને કાર્ય કરે છે, તેમ માનવું જોઈએ, એમ પૂર્વપક્ષી કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org