________________
દેવપષકારદ્વાäિશિકા(શ્લોક-૨૩-૨૪
જે કાષ્ઠાદિમાં પ્રતિમાં થઈ શકે તેવી યોગ્યતા છે અને તેમાંથી પ્રતિમા ન થાય તો તે કાષ્ઠાદિને અયોગ્ય કહેવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ પ્રતિમા નિષ્પન્ન થઈ શકે તેવા યોગ્ય કાષ્ઠાદિમાંથી પણ પ્રતિમા ન ઘડવામાં આવે તો તે કાષ્ઠાદિ પ્રતિમાને અયોગ્ય છે, તેમ કહેવાય નહીં; કેમ કે કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતાને જાણનારા પ્રામાણિક પુરુષ કાષ્ઠાદિને જોઈને કહી શકે કે “આ કાષ્ઠાદિમાંથી પ્રતિમાનું નિર્માણ થઈ શકે છે, અને આ કાષ્ઠાદિમાંથી પ્રતિમાનું નિર્માણ થઈ શકે તેમ નથી.' તેથી પ્રામાણિક એવા લોકમાં યોગ્ય એવા કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા પ્રસિદ્ધ છે. તેથી પ્રસિદ્ધ એવા વ્યવહારનયનો અપલાપ કરીને જે કાષ્ઠાદિમાંથી પ્રતિમા ન થાય તે કાષ્ઠાદિ પ્રતિમાને અયોગ્ય છે, તેમ કહી શકાય નહીં.
તેથી એ ફલિત થાય કે જે કાષ્ઠાદિમાંથી પ્રતિમા નિર્માણ થઈ શકે, ભલે હજી નિર્માણ થઈ નથી, પ્રતિમા નિર્માણ થાય ત્યારે તે કાષ્ઠાદિ પ્રતિમાને યોગ્ય છે, અને પ્રતિમાને ઘડનારા પુરુષના પુરુષકારથી પ્રતિમાની યોગ્યતાનો બાધ થાય છે. તેથી પ્રતિમા ઘડનારનો પુરુષકાર પ્રતિમાની યોગ્યતાનો બાધક છે. ૨૩ અવતરણિકા :
इदमेव प्रकृते योजयन्नाह - અવતરણિકાર્ય :
આને જ=કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો પુરુષકારથી બાધ થાય છે, તેમ પૂર્વશ્લોક-૨૩થી સ્થાપન કર્યું એને જ, પ્રકૃતિમાં દેવ અને પુરુષકારના વિષયમાં, યોજન કરતાં કહે છે – શ્લોક :
कर्मणोऽप्येतदाक्षेपे दानादौ भावभेदतः ।
फलभेदः कथं नु स्यात्तथाशास्त्रादिसङ्गतः ।।२४।। અન્વયાર્થ
કર્મોડપિ કર્મના પણstવસંશિત કર્મના પણ પ્રસ્તાક્ષેપે આના આક્ષેપમાં ફળની નિષ્પત્તિના કારણભૂત એવા પુરુષકારના આક્ષેપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org