________________
દેવપુરુષકારદ્વાબિંશિકા/શ્લોક-૨૩ પ્રતિમાની નિષ્પત્તિના અભાવમાં પણ કાષ્ઠાદિ અયોગ્ય છે, એ પ્રકારની લોકમાં પ્રસિદ્ધિ નથી; કેમ કે ત્યારે પણ=પ્રતિમાની નિષ્પત્તિના અભાવમાં પણ, યોગ્યપણાથી જ તેઓનું રૂઢપણું છે=કાષ્ઠાદિનું રૂઢપણું છે.
ત' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૨૩ જ પ્રતિનિષ્પન્ચમાવેડ'િ - અહીં ‘વ’ થી એ કહેવું છે કે પ્રતિમાની નિષ્પત્તિ થાય તો તો આ કાષ્ઠ અયોગ્ય નથી, પરંતુ પ્રતિમાની નિષ્પત્તિના અભાવમાં પણ આ કાષ્ઠ અયોગ્ય છે એ પ્રમાણેની પ્રસિદ્ધિ નથી.
ત’ – અહીં ‘૩પ' થી એ કહેવું છે કે પ્રતિમા નિષ્પન્ન થાય ત્યારે તો તે કાષ્ઠ યોગ્ય હતું, તેમ કહેવાય છે, પરંતુ પ્રતિમા નિષ્પન્ન થઈ ન હતી, ત્યારે પણ લોકમાં યોગ્યપણાથી તે કાષ્ઠ રૂઢ છે. ભાવાર્થ -
અવતરણિકામાં નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને પૂર્વપક્ષીએ શંકા કરેલ કે કાષ્ઠાદિમાં રહેલી યોગ્યતા જ પ્રતિમાનો આક્ષેપ કરશે. તેથી પ્રતિમાની યોગ્યતાનો બાધક પુરુષકાર સ્વીકારવાની જરૂર નથી; કેમ કે જે કાષ્ઠાદિમાં યોગ્યતા છે તે કાષ્ઠાદિમાં રહેલી યોગ્યતા પ્રતિમાના ઘડનારના પ્રયત્નનો આક્ષેપ કરીને અવશ્ય પ્રતિમારૂપે થશે. તેથી પ્રતિમા ઘડનારાનો પુરુષકાર કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો બાધક છે, તેમ કહેવાની જરૂર નથી. આ કથનનું વ્યવહારનયની દૃષ્ટિથી નિરાકરણ કરે છે –
કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતા જો પ્રતિમાનો આક્ષેપ કરે તો જે કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા છે, તે સર્વ કાષ્ઠાદિમાંથી પ્રતિમા નિષ્પન્ન થવી જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે જે કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા છે તે કાષ્ઠાદિથી પ્રતિમા થાય જ છે. માટે યોગ્ય એવા સર્વ કાષ્ઠાદિથી પ્રતિમા થવી જ જોઈએ, એવો પ્રસંગ અમને આવે નહીં. આ પ્રકારના પૂર્વપક્ષીના સ્વીકારને સામે રાખીને જે પ્રકારે પૂર્વપક્ષી કહે છે, તેમ સ્વીકારીએ તો શું પ્રસંગ આવે ? તે વા' કારથી ગ્રંથકારશ્રી બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org