________________
દેવપુરુષકારદ્વાચિંશિકાશ્લોક-૨૧-૨૨ પૂર્વના કથનથી થઈ જાય છે, કેમ કે પ્રતિમામાં બાધકતા જુદા પ્રકારની છે અને યત્નમાં બાધકતા જુદા પ્રકારની છે. તેથી પ્રતિમાની યોગ્યતાના બાધથી પ્રતિમારૂપ કાર્ય થાય છે, અને કર્મની યોગ્યતાના બાધથી કર્મના ફળની શક્તિનો ભંગ થાય છે, પરંતુ કર્મના ફળરૂપ કાર્ય થતું નથી. માટે કર્મની યોગ્યતાનો બાધ થાય તો કર્મનું ફળ પ્રાપ્ત થવું જોઈએ, તેમ કહી શકાય નહીં.
આ રીતે પૂર્વના કથનથી કોઈક દ્વારા અપાયેલી આપત્તિનું નિવારણ થયું. હવે યુક્તિથી પણ તે આપત્તિનું નિવારણ કઈ રીતે થાય છે, તે સ્પષ્ટ કરે છે -
ઉપાદાન કારણ સ્વનાશથી અભિન્ન એવા ફળની ઉત્પત્તિ સાથે નિયત છે. તેથી પ્રતિમાના ઉપાદાન કારણરૂપ કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતા, પોતાના નાશથી અભિન્ન એવા પ્રતિમારૂપ ફળની ઉત્પત્તિ સાથે નિયત છે. જ્યારે યત્નથી કર્મની યોગ્યતાનો નાશ થાય છે, ત્યારે કર્મની યોગ્યતા સુખદુઃખાદિનું ઉપાદાનકારણ નથી, પરંતુ સુખદુઃખાદિનું નિમિત્તકારણ છે. તેથી ઘટના નિમિત્તકારણ એવા દંડનો નાશ થાય તો ઘટની નિષ્પત્તિ થઈ શકે નહીં, તેમ સુખદુઃખાદિના નિમિત્તકારણ એવી કર્મની યોગ્યતાનો નાશ થાય તો તે કર્મનું સુખદુઃખાદિરૂપ ફળ પ્રાપ્ત થાય નહીં.
અહીં વિશેષ એ છે કે બંધાયેલું કર્મ અવશ્ય ઉદયમાં આવે છે, અને ઉદયથી જ કર્મનો નાશ છે, પરંતુ યત્નથી કર્મનો નાશ થતો નથી; આમ છતાં કર્મમાં ફળ આપવાની શક્તિ હતી, તે શક્તિનો નાશ યત્નથી થાય છે. તેથી શક્તિ વગરનું કર્મ પ્રદેશોદયથી ઉદયમાં આવીને નાશ પામે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કર્મનો ઉદય બે પ્રકારે છે : (૧) પ્રદેશોદય, અને (ર) વિપાકોદય. અનિયતસ્વભાવવાળું કર્મ જો હોય અને યત્ન ન કરવામાં આવે તો તે કર્મ વિપાકથી ઉદયમાં આવે, પરંતુ સમ્યગુ યત્ન કરવામાં આવે તો તે કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો નાશ થવાથી પ્રદેશથી ઉદયમાં આવે. પરવા અવતરણિકા :
ननु येन कर्मणा फलं न जन्यते, तत्र न तद्योग्यतैव किं यत्नस्य तद्बाधकत्वेनेत्याशंकायामाह -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org