________________
૮૮
દેવપુરુષકારાવિંશિકા/શ્લોક-૨૧ કર્મમાં વિક્રિયા થાય છે પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે, તેમ યત્નથી કર્મનો નાશ થતો નથી, પરંતુ કર્મમાં વિક્રિયા થાય છે. વિક્રિયા એટલે શું ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તે કર્મમાં જે પ્રકારનું ફળ ઉત્પન્ન કરવાની શક્તિ હતી, તે શક્તિનો ભંગ થાય છે, પરંતુ કર્મનો નાશ થતો નથી, અને કર્મમાં થયેલી આ વિક્રિયા એ યત્નથી કર્મનો બાધ છે; આ પ્રકારની બાધ્યબાધકતા છે અર્થાત્ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે, તેથી પ્રતિમામાં બાધકતા છે, અને પ્રતિમાની યોગ્યતામાં બાધ્યતા છે; અને યત્નથી કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો ભંગ થાય છે, તેથી યત્નમાં બાધકતા છે અને કર્મમાં બાધ્યતા છે.
ઉપરોક્ત કથનનો અવતરણિકા સાથે સંબંધ આ રીતે છે – દૃષ્ટાંત-દાર્ટાન્તિકમાં સમાન બાધકતા નથી, પરંતુ બાધકતા' શબ્દસામ્યથી ઐક્ય છે; કેમ કે પ્રતિમાથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે, જ્યારે યત્નથી કર્મનો નાશ થતો નથી, પરંતુ વિક્રિયા થાય છે. તેથી પ્રતિમામાં બાધકતા જુદા પ્રકારની છે અને યત્નમાં બાધકતા જુદા પ્રકારની છે, તોપણ બાધકતારૂપ શબ્દ બંનેમાં સમાન છે. માટે “બાધકતા' શબ્દના સામ્યથી જ દૃષ્ટાંત-દાષ્ટ્રન્તિકમાં બાધકતાનું ઐક્ય છે, એમ અવતરણિકામાં કહેલ છે.
અથવા યત્નથી કર્મમાં વિક્રિયા થાય છે. એટલે પૂર્વમાં બંધાયેલ કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિના ભંગરૂપ વિકાર થાય છે, પરંતુ કર્મનો નાશ થતો નથી, જ્યારે પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે. તેથી વિકાર અને નાશ બંનેમાં સાધારણ એવી રૂપાંતર પરિણતિરૂપ બાધ્યતાને ગ્રહણ કરીને વિચારીએ તો પ્રતિકારૂપ દૃષ્ટાંતમાં અને પ્રયત્નરૂપ દાષ્ટ્રન્તિકમાં બાધકતા શબ્દનું ઐક્ય છે.
ર્તન.... પ્રતિમાથી અથવા પ્રતિમાની નિષ્પત્તિના યત્નથી, પ્રતિમાની યોગ્યતાનો બાધ થાય ત્યારે પ્રતિમાની ઉત્પત્તિ થાય છે. તેની જેમ યત્નથી કર્મમાં રહેલી ફળજનન શક્તિની યોગ્યતાનો બાધ થાય તો કર્મના ફળની ઉત્પત્તિ થવી જોઈએ. આ પ્રકારની આપત્તિ કોઈ આપે તો તેનું નિરાકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org