________________
પ
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૧ અવતરણિકા :
अत्र दृष्टान्तदान्तिकयोर्बाधकतैक्यं शब्दसाम्यादेव विकारनाशसाधारणरूपान्तरपरिणत्यैव वेत्यभिप्रायवानाह - અવતારણિકાર્ચ -
અહીં=પૂર્વશ્લોક-૨૦માં પ્રતિમાના દષ્ટાંતથી કહ્યું કે અનિયતભાવવાળું કર્મ પ્રયત્નથી બાધ્ય છે એ કથનમાં, પ્રતિમાનું દાન અને પ્રયત્નરૂપ દાનિક એ બેમાં વર્તતી બાધકતાનું એક્ય શબ્દસાગથી જ છે અર્થાત્ અર્થથી બાધકતાનું ઐક્ય નથી, પરંતુ શબ્દસામ્યથી જ બાધકતાનું ઐક્ય છે અથવા વિકારમાં અને નાશમાં સાધારણ એવી રૂપાંતર પરિણતિથી જ પ્રયત્નથી કર્મમાં વિકાર, અને પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ, એ બેમાં રહેલ સાધારણ એવી રૂપાંતર પરિણતિથી જ, બાધકતાનું ઐક્ય છે, એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં પ્રતિમાના દૃષ્ટાંતથી કહ્યું કે જેમ પ્રતિમાની નિષ્પત્તિ વડે પ્રતિમાની યોગ્યતાનો બાધ થાય છે, તેમ પ્રયત્ન વડે કર્મનો બાધ થાય છે. એ કથનમાં દૃષ્ટાંત પ્રતિમા છે અને દાર્દાન્તિક પ્રયત્ન છે, અને દૃષ્ટાંતરૂપ એવી પ્રતિમામાં બાધકતા છે, અને દાર્ટાબ્લિક એવા પ્રયત્નમાં બાધકતા છે. તે બંને બાધકતાનું ઐક્ય શબ્દસામ્યથી જ છે. વસ્તુતઃ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે જ્યારે પુરુષકાર દ્વારા કર્મનો નાશ થતો નથી, પરંતુ કર્મમાં વિક્રિયા ઉત્પન્ન થાય છે. તેથી પ્રતિમાની અને પુરુષકારની બાધકતા અસમાન છે, તોપણ શબ્દસામ્યથી બંનેમાં રહેલી બાધકતાનું ઐક્ય છે. તે બતાવવા માટે શ્લોકમાં કહે છે –
અથવા પ્રયત્નથી કર્મમાં વિક્રિયા થાય છે ત્યારે કર્મમાં વિકાર ઉત્પન્ન થાય છે અર્થાત્ જે કર્મ જે ફળ આપવા માટે સમર્થ હતું તે કર્મ તે ફળ આપવા માટે અસમર્થ બને તેવો વિકાર કર્મમાં પ્રયત્નથી થાય છે, અને કાષ્ઠમાં પ્રતિમાની યોગ્યતા હતી, તેનો નાશ પ્રતિમાની નિષ્પત્તિથી થાય છે. તેથી વિકાર અને નાશ બંનેમાં સાધારણ રહે એવી રૂપાંતરની પરિણતિથી જ દૃષ્ટાંત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org