SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૦ બનાવે ત્યારે તે પ્રતિમાની નિષ્પત્તિથી તે કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે–પ્રતિમાની યોગ્યતાનો બાધ થાય છે. તેની જેમ ફળ ઉત્પન્ન કરવા પ્રત્યે પ્રતિમાની યોગ્યતા સદશ અનિયતસ્વભાવવાળાં કેટલાંક કર્મો પ્રયત્નથી બાધ્ય છે=પ્રયત્નથી નિષ્ફળ કરી શકાય તેવાં છે. વળી કેટલાંક કર્મો ફળ ઉત્પન્ન કરવા માટે નિયતિવાળાં છેઃનિયત ફળ આપે તેવાં છે, તે કર્મો પ્રયત્નથી અબાધ્ય છે. તેથી તેવા પ્રકારનાં કર્મોને ગ્રહણ કરીને પ્રયત્નથી બાધ્ય કહેલ નથી, પરંતુ જે કર્મો ફળ ઉત્પન્ન કરવા પ્રત્યે અનિયત સ્વભાવવાળાં છે, તેવાં કર્મોને પ્રયત્નથી બાધ્ય કહેલ છે. આશય એ છે કે કેટલાંક કાષ્ઠ પ્રતિમાને યોગ્ય હોય છે, આમ છતાં તે કાષ્ઠમાંથી પ્રતિમા થાય તેવો નિયમ નથી; પરંતુ કોઈક પુરુષ તે કાષ્ઠમાંથી પ્રતિમા બનાવવા પ્રયત્ન કરે તો પ્રતિમા થાય, અને પ્રતિમા બનાવવા પ્રયત્ન ન કરે તો પ્રતિમા ન થાય. તેથી પ્રતિમાયોગ્ય લાકડું પણ પ્રતિમાની નિષ્પત્તિ પ્રત્યે અનિયતસ્વભાવવાળું હોય છે. તેમાં કેટલાંક કર્મો પણ ફળ ઉત્પન્ન કરવા પ્રત્યે અનિયતસ્વભાવવાળાં હોય છે, અને જેમ પ્રતિમાની નિષ્પત્તિ પ્રત્યે અનિયતસ્વભાવવાળા પણ કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતા પ્રતિમાની નિષ્પત્તિથી બાધ્ય થાય છે, તેમ ફળ આપવામાં અનિયત સ્વભાવવાળાં એવાં કર્મો પણ પ્રયત્નથી બાધ્ય થાય છે, એ પ્રમાણે આચાર્યો કહે છે. તેથી એ ફલિત થાય કે બાધ્ય સ્વભાવવાળાં કર્મો પ્રયત્નથી નિવર્તન કરી શકાય છે અને પ્રયત્ન ન કરવામાં આવે તો વિપાકમાં આવીને ફળ પણ આપે છે. મૂળ શ્લોકમાં ‘પ' શબ્દ છે. તેનાથી એ અર્થ પ્રાપ્ત થાય છે કે જીવ પુરુષકારથી કર્મનો બાધ કરતો હોય ત્યારે નિયતિ પણ સહકારી બને છે, અને તે નિયતિ બે પ્રકારની છે : (૧) ફળજનન પ્રત્યે નિયતભાવવાળી અને (૨) ફળજનન પ્રત્યે અનિયતભાવવાળી. આ બંને નિયતિ પૈકી ફળજનન પ્રત્યે જે અનિયતભાવવાળી નિયતિ છે, તે નિયતિ પ્રયત્નથી કર્મનો બાધ કરવામાં સહકારી બને છે, પરંતુ જે નિયતિ ફળજનન પ્રત્યે નિયતભાવવાળી છે, તે નિયતિ કર્મનો બાધ કરવામાં સહકારી બનતી નથી. આરબી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy