________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકાર ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની પ્રખર તર્કશક્તિને અને તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી.
આ કોઈ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોનાં ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. દ્વાત્રિશદ્વાર્કિંશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથોનાં નામાભિધાન, ષોડશકપ્રકરણ, અષ્ટકપ્રકરણ, વિશતિવિશિકા આદિ તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે; તેમ અહીં વિવિધ ૩૨ વિષયોનું નિરૂપણ કરતાં ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્ધાત્રિશદ્ધાત્રિશિકા' યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે.
કાત્રિશદ્ધાત્રિશિકા” ગ્રંથનું આ ૧૬મું પ્રકરણ “ઈશાનુગ્રહવિચાર” દ્વાત્રિશિકા
છે.
૧૫મી “સમ્યગ્દષ્ટિ'બત્રીશીમાં સમ્યગ્દષ્ટિ કોણ છે તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. જીવ જ્યારે સમ્યક્ત પામે ત્યારે તેમનામાં રહેલું સમ્યક્ત ભગવાનના અનુગ્રહથી નિર્વાહ પામે છે, તેથી સમ્યક્તનો નિર્વાહક “ઈશાનુગ્રહ' છે તે ઈશાનુગ્રહ શું છે ? તેની વિચારણા પ્રસ્તુત બત્રીશીમાં કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org