SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૧૮-૧૯ હોય ત્યારે વેદને અપ્રમાણરૂપે સ્વીકાર કરતો નથી, માટે તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ થશે નહીં. વળી વેદનો અપ્રમાણરૂપે સ્વીકાર પણ સ્વારસિક ગ્રહણ કરવાનો છે. તેથી કોઈ બૌદ્ધ તાડન કરીને બ્રાહ્મણને કહે કે “તું વેદને અપ્રમાણ સ્વીકાર કર' અને બૌદ્ધના તાડનને કારણે ભય પામીને બ્રાહ્મણ “વેદ અપ્રમાણ છે” એમ બોલે, તોપણ તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ નથી; કેમ કે તે બ્રાહ્મણે સ્વેચ્છાથી વેદને અપ્રમાણ સ્વીકારેલ નથી. વળી, શયનાદિ અવસ્થામાં બ્રાહ્મણો વેદને પ્રમાણરૂપે સ્વીકારતા નથી, તેમાં આવતા અવ્યાપ્તિદોષના નિવારણ માટે બ્રાહ્મણોએ પરિષ્કાર કર્યો કે “જ્યાં સુધી સ્વેચ્છાએ વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી તે બ્રાહ્મણ શિષ્ટ છે.” ત્યાં કોઈ કહે કે કોઈ બ્રાહ્મણે સ્વેચ્છાથી વેદને અપ્રમાણ સ્વીકારેલ નથી, આમ છતાં તે બ્રાહ્મણને વેદમાં પ્રમાકરણત્વના અભાવની બુદ્ધિ થઈ, તેથી તે બ્રાહ્મણ શિષ્ટ કહી શકાય નહીં, તોપણ તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ છે; કેમ કે તે બ્રાહ્મણે પૂર્વમાં વેદને પ્રમાણ સ્વીકારેલ અને હવે વેદને અપ્રમાણરૂપે સ્વીકારવો નથી, પરંતુ વેદમાં પ્રમાકરણત્વનો અભાવ સ્વીકારે છે, માટે શિષ્ટનું લક્ષણ તે બ્રાહ્મણમાં જશે. તેના નિવારણ માટે કહે છે - અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વનો અભાવ બંને પ્રામાણ્યના વિરોધી હોવાને કારણે વેદઅપ્રામાણ્યના સ્વીકારથી બંનેનો સંગ્રહ થતો હોવાથી એકના અગ્રહમાં= વેદઅપ્રમાકરણત્વના અગ્રહમાં, અન્યને સ્વીકારનાર બ્રાહ્મણમાંગવેદમાં પ્રમાકરણત્વાભાવને સ્વીકારનાર બ્રાહ્મણમાં, શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ નથી; કેમ કે તે બ્રાહ્મણે વેદમાં પ્રમાકરણત્વનો અભાવ સ્વીકાર્યો, તેથી તે બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકારતો નથી, માટે શિષ્ટ નથી, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. આ પ્રમાણે પદ્મનાભે શિષ્ટના લક્ષણમાં આવતા દોષોનું નિવારણ કર્યું, ત્યાં પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી કહે છે કે આમ છતાં કોઈ બ્રાહ્મણને કોઈ પુરુષ વાદમાં કે અન્ય પ્રસંગે કોઈ વેદનું વચન કહે, અને તે બ્રાહ્મણને “આ વેદનું વચન છે તેવું જ્ઞાન ન હોય, અને તે વચન યુક્તિયુક્ત ભાસે નહીં, ત્યારે તે બ્રાહ્મણ તે પ્રતિવાદીને કહે કે “આ વચન પ્રમાણ નથી', તો તે બ્રાહ્મણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy