SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિદ્વાર્જિશિકા/શ્લોક-૧૮-૧૯ કહે છે કે આ પ્રમાણે શિષ્ટતા લક્ષણમાં દોષ નથી, તેમ તું કહે છે, તો પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી તેને દોષ બતાવે છે - તેનું અપ્રામાણ્ય માનનાર એવા અર્થાત્ વેદનું અપ્રામાણ્ય સ્વીકારનાર એવા અને વેદમાં વેદત્વને નહીં જાણનાર એવા બ્રાહ્મણમાં આ લક્ષણ=આ શિષ્ટનું લક્ષણ, અવ્યાપ્ત છે; કેમ કે તેના વડે તે બ્રાહ્મણ વડે, વેદઅપ્રામાણ્યનો સ્વીકાર કરાયો છે. પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી બ્રાહ્મણને કહે છે – અથ વેરિ . જો આ દોષના નિવારણ માટે તું આમ કહે કે વેદત્વરૂપે વેદનો સ્વીકાર વિક્ષા કરાય છે' અર્થાત્ “વેદત્વરૂપે વેદને જાણીને વેદ અપ્રમાણ છે, એમ સ્વીકાર કરનારને અમે અશિષ્ટ કહીએ છીએ અને જે બ્રાહ્મણને વેદમાં જ વેદત્વનું જ્ઞાન નથી, તે બ્રાહ્મણને વેદત્વેન વેદના અપ્રામાયનો સ્વીકાર નથી, પરંતુ આ અપ્રમાણ છે એ પ્રકારે “દંત્રાતિ વડે જ વેદના અપ્રામાણ્યત્વનો સ્વીકાર છે. એથી અવ્યાપ્તિ નથી તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાતિ નથી, તોપણ આ=આ લક્ષણ શિષ્ટતું લક્ષણ, આગળના શ્લોકમાં કહેવાશે, એ દોષોથી ગ્રસ્ત છે. ૧૮-૧૯i ' જ ‘અપ્રામાધ્યમનનસ્થાપિ' – અહીં ‘મા’ થી એ કહેવું છે કે વેદપ્રામાણ્યનું મનન તો સ્વારસિક ગ્રહણ છે, પરંતુ વેદઅપ્રામાણ્યનું મનન પણ સ્વારસિક ગ્રહણ છે. દયોરપિ' - અહીં વિ' થી એ કહેવું છે કે અપ્રમાકરણત્વ અને પ્રમાકરણવાભાવ એ બંનેમાંથી એક તો પ્રામાણ્યનું વિરોધી છે, પરંતુ બંને પણ પ્રામાણ્યના વિરોધી છે. áત્વલિનેતિ' - અહીં ‘મારિ' થી ‘મને ઉર્ધ્વરિત નું ગ્રહણ કરવું. . નોંધ:- શ્લોક-૧૮ની ટીકામાં સંગ્રહાદ્વૈપ્રદે પાઠ છે, તેના સ્થાને ‘સંગ્રહાદ્વૈપ્રદે' પાઠ ભાસે છે. તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે, પાઠ મળેલ નથી. ભાવાર્થ - શ્લોક-૧૭માં શિષ્ટના લક્ષણની શયનાદિ અવસ્થાવાળા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ બતાવી. તે અવ્યાપ્તિના નિવારણ માટે “પદ્મનાભ' નામના વિદ્વાન બ્રાહ્મણ પરિષ્કાર બતાવે છે -- “વેદને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણ જ્યાં સુધી વેદને અપ્રમાણરૂપે સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તે બ્રાહ્મણમાં શિષ્ટપણું છે, અને આવું લક્ષણ કરવાથી વેદને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણ જ્યારે શયનાદિ અવસ્થામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy