SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ આશય એ છે કે આત્મામાં કર્મોની દીર્ઘ સ્થિતિ હોય છે ત્યારે આત્મા ઉપર તે કર્મોનો ઉપઘાત થાય છે, અને કર્મની સ્થિતિ કંઈક ઘટે છે ત્યારે આત્મા ઉપર અનુગ્રહ થાય છે. આથી જેમ જેમ કર્મની સ્થિતિ ઘટતી જાય છે, તેમ તેમ આત્મામાં ગુણો પ્રગટે છે, અને જેમ જેમ કર્મની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ આત્માના ગુણોનો નાશ થાય છે. તેથી નક્કી થાય કે આત્મા ઉપર કર્મો ઓછાં થવાથી ગુણની પ્રાપ્તિરૂપ અનુગ્રહ આત્માને પ્રાપ્ત થાય છે, અને આત્મા ઉપર કર્મનો ઉપચય થવાથી=વૃદ્ધિ થવાથી, ગુણોના નાશરૂપ ઉપઘાત આત્માને પ્રાપ્ત થાય છે. તેથી કર્મના ક્ષયથી આત્માને અનુગ્રહ થાય છે અને કર્મની વૃદ્ધિથી આત્માને ઉપઘાત થાય છે. તેથી કર્મો સાવયવ છે એમ સિદ્ધ થાય છે, માટે કર્મરૂપ દોષનો અંશથી નાશ થાય છે. તેથી અંશથી દોષનાશવાળા સમ્યગ્દષ્ટિ આદિ શિષ્ટ છે, તેમ સ્વીકારી શકાય છે. એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. તેથી એ ફલિત થાય કે જ્યારે જીવ સ્વપરાક્રમના બળથી ગ્રંથિનો ભેદ કરે છે ત્યારે આત્મામાં રહેલી કર્મની સ્થિતિ અલ્પ થાય છે અને તેથી જીવમાં સમ્યકત્વગુણ પ્રગટે છે. તેથી આત્મામાં રહેલા સાવયવ કર્મરૂપી દોષને લઈને કર્મસ્થિતિનો હ્રાસ થતાં સમ્યગ્દષ્ટિ જીવ અંશથી દોષણક્ષયવાળા છે, એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી રાગાદિ દોષોને ગ્રહણ કરીએ ત્યારે પ્રબળ રાગાદિનો ક્ષય એ અંશથી દોષક્ષય છે, અને જીવમાં રહેલી કર્મોની સ્થિતિરૂપ દોષને ગ્રહણ કરીએ ત્યારે તે કર્મોના સમુદાયનો અંશથી ક્ષય છે, એ પ્રકારનું કથન યુક્તિસંગત છે. વળી સમ્યગ્દષ્ટિ આદિને શિષ્ટ સ્વીકારવાના વિષયમાં અન્યત્ર વિસ્તાર છે. - અહીં કહ્યું કે પ્રશમ-સંવેગાદિ લિંગ વડે શિષ્ટપણું ગ્રહણ થઈ શકે છે, ત્યાં અનંતાનુબંધી કષાયના વિગમનને કારણે તત્ત્વ પ્રત્યેના બદ્ધરાગપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ પરમ મધ્યસ્થતાનો પરિણામ “પ્રશમ” છે; અને શ્લોક૧૫માં કહેલ (1) ધ્વસ્તહિંસાના પ્રબંધવાળા તથ્યધર્મમાં, (૨) રાગ-દ્વેષમોહાદિથી મુક્ત એવા દેવમાં અને (૩) સર્વ ગ્રંથના સંદર્ભથી હીન એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy