SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સમ્યગ્દગ્ઝિાત્રિશિકા/શ્લોક-૧૪ જે કારણથી કહેવાયું છે=જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૮૯માં કહેવાયું છે - આ રીતે જ=પરિશુદ્ધ પ્રવચનનો અધિગમ, અતિશાયિ ધર્મકથા તથા અવિસંવાદિ નિમિત્તાદિ રૂપ તે તે કલ્યાણના વ્યાપારથી જે રીતે તીર્થંકરો કરે છે એ રીતે જ, સ્વજનાદિગત આ=ભવથી ઉત્તારણ, જે=જે સર્બોધિવાળા મહાત્મા, ચિંતન કરે છે, તે પ્રકારના અનુષ્ઠાનથી=ચિંતનને અનુરૂપ અનુષ્ઠાનથી, પરોપકાર કરે છે, તે પણ બુદ્ધિમાન ગણધર થાય.” (યોગબિંદુ શ્લોક-૨૮૯) ૧૪ ક ‘વસંવર્નામત્ત' - અહીં ‘ર થી અવિસંવાદિ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. કવીનધાન’ - અહીં દ્ર' થી અંકુરાનું ગ્રહણ કરવું. ‘આત્મસ્મર' - અહીં ‘પ' ‘વંકાર અર્થક છે. ‘વનનમદિધીર્ષાયા' - અહીં ‘’ થી મિત્રવર્ગ અને દેશાદિ વિશેષનું ગ્રહણ કરવું. ભાવાર્થ તીર્થકરપદ, ગણધરપદની પ્રાપ્તિનાં કારણો - તીર્થકરના જીવો અન્યના ઉપકારનું કારણ બને તેવી શ્રેષ્ઠ કોટિની સર્બોધિવાળા હોય છે; અને સર્બોધિવાળા એવા તેઓ જો સંયમ ગ્રહણ કરેલું હોય તો પરિશુદ્ધ પ્રવચનનો બોધ કરે છે, અતિશાયી ધર્મકથા કરે છે અને અવિસંવાદિ એવા નિમિત્તથી શુદ્ધ અને અવિસંવાદિ સંયમયોગની પ્રવૃત્તિરૂપ તે તે કલ્યાણના વ્યાપાર વડે જીવોના મોક્ષના બીજાધાનાદિરૂપ અર્થને કરે છે; પરંતુ પ્રવચનના અધિગમ આદિનો માત્ર પોતાના કલ્યાણ માટે જ ઉપયોગ કરતા નથી. તેથી તેઓ માત્ર આત્મભરિ નથી, પરંતુ પોતાના કલ્યાણ માટે ઉદ્યમ કરે છે અને અન્ય જીવોના પણ કલ્યાણ માટે ઉત્કટ યત્ન કરે છે. તેથી તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે, જે તીર્થંકર નામકર્મ ભવ્યજીવોના મોક્ષને અનુકૂળ પ્રકૃષ્ટ એવા શુભ પ્રયોજનને કરનારું છે. વળી જેઓ સ્વજનાદિને ભવથી ઉદ્ધાર કરવાની ઇચ્છાથી સર્બોધિની પ્રવૃત્તિ કરે છે, તેઓ ગણધરપદ પ્રાપ્ત કરે છે, આ પ્રમાણે જાણવું. આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy