SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દગ્લિાનિંશિકા/બ્લોક-૧૦ ટીકા - ___ एवं चेति-एवं च भिन्नग्रन्थेमिथ्यात्वदशायामपि शोभनपरिणामत्वे(त्वं) च यत्. परैः सौगतैः बोधिसत्त्वस्य लक्षणमुक्तं तदपि सन्नीत्या मध्यस्थवृत्त्या विचार्यमाणं अत्र-सम्यग्दृष्टावुपपद्यते ।।१०।। ટીકાર્ચ - વં ર... ૩૫ઘિતે . અને એ રીતેન્નભિન્નગ્રંથિને મિથ્યાત્વઅવસ્થામાં પણ શોભન પરિણામપણું છે એ રીતે, પર વડે સોંગત વડે બોધિસત્વનું જે લક્ષણ કહેવાયું, તે પણ સવીતિથી મધ્યસ્થવૃત્તિથી, વિચારાતું આમાં સમ્યગ્દષ્ટિમાં, ઘટે છે. ૧૦ના મિત્રમંથ્યાત્વઃશયા' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિને સમ્યકત્વદશામાં તો શોભન પરિણામપણું છે, પરંતુ મિથ્યાત્વદશામાં પણ શોભન પરિણામપણું છે. નોંધ :- ટીકામાં ‘શમનમિત્તે’ ના સ્થાને શોમનપરિVTમત્વ' હોવું જોઈએ, એમ ભાસે છે. તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ : શ્લોક-૯માં બતાવ્યું કે જીવ સમ્યકત્વ પામે, પછી સમ્યકત્વથી ભ્રષ્ટ થાય અને અસુંદર અનુષ્ઠાન કરતો હોય તોપણ કંઈક સુંદરતા રહે છે. તેથી એ ફલિત થાય કે સમ્યક્ત્વના પ્રાપ્તિકાળમાં કરાતા ત્રણ કરણો દ્વારા જીવમાં કોઈક વિશુદ્ધિ થાય છે, જેથી જીવ સુંદર બને છે, અને સુંદર બન્યા પછી મિથ્યાદૃષ્ટિ બને તોપણ સુંદરપણું સર્વથા જતું નથી. આ રીતે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા પછી પણ જીવમાં સુંદરતા રહે છે, તેથી અર્થથી એ ફલિત થાય છે કે સમ્યક્ત્વકાળમાં જીવ ઘણો સુંદર છે. માટે સૌગતો વડે બુદ્ધ ભગવાનનું જે સ્વરૂપ બતાવાયું છે, તેવું સુંદર સ્વરૂપ પણ સમ્યક્ત્વની હાજરીમાં સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે બૌદ્ધદર્શનવાળા પોતાના ભગવાન બોધિસત્ત્વનું જે લક્ષણ કરે છે, તેના સ્વરૂપનો મધ્યસ્થ વૃત્તિથી અર્થાત્ સ્વદર્શનના પક્ષપાતથી નહીં, પરંતુ કોઈ પણ દર્શનના પક્ષપાત વિના મધ્યસ્થ વૃત્તિથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy