________________
સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/બ્લોક-૮
૨૧ શુદ્ધિ થાય ત્યારે ગ્રંથિદેશ સુધી આવે છે, પરંતુ તેનાથી આગળ જતો નથી, તેથી સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરે છે; પરંતુ તે જીવ આ ગ્રંથિનો ભેદ કરીને આગળની શુદ્ધિને પ્રાપ્ત કરે, ત્યાર પછી સીમિત કાળમાં અવશ્ય સંસારનો અંત કરે છે. તેથી સંસારનો અંત કરવાને અનુકૂળ શુદ્ધિ સુધી જવામાં અટકાવનાર એવી તીવ્ર રાગદ્વેષની પરિણતિને “ગ્રંથિ' શબ્દથી કહેલ છે.
જે જીવો ઉપદેશાદિથી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, તેઓને ભૂતાર્થવાચક એવા= સદ્ભૂતપદાર્થનો વાચક એવા, શાસ્ત્રવચનના બળથી તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ સ્વવીર્ય ઉલ્લસિત થાય ત્યારે તત્ત્વને જાણવા માટે પરમ મધ્યસ્થતાપૂર્વક ઊહ પ્રવર્તે છે. તે ઊહ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરાવીને વિશ્રાંત થાય તેવો છે, અને તે ઊહથી જીવમાં અપૂર્વકરણ પ્રગટે છે. આ અપૂર્વકરણનો ઉપયોગ અવશ્ય અનિવૃત્તિકરણ કરાવીને, સમ્યકત્વ પ્રાપ્ત કરાવીને વિશ્રાંત થાય તેવો છે; પરંતુ અપૂર્વકરણ કરીને અટકતો નથી કે અનિવૃત્તિકરણ કરીને પણ અટકતો નથી, પણ સમ્યક્ત્વ પામીને વિશ્રાંત થાય છે.
જે જીવો કર્મની અલ્પતાને કારણે ચરમાવર્તમાં આવેલા છે અને ચાર દૃષ્ટિ સુધીના ભાવોમાંથી કોઈક ભાવમાં વર્તે છે, તે જીવો ચરમયથાપ્રવૃત્તિકરણમાં છે; અને આ ચરમયથાપ્રવૃત્તિકરણ, તે ભવમાં કે ઘણા ભવો પછી પણ અપૂર્વકરણની પ્રાપ્તિ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે. આ ચરમયથાપ્રવૃત્તિકરણ સિવાય સામાન્ય યથાપ્રવૃત્તિકરણો જીવે અનંતી વખત પ્રાપ્ત કર્યાં, ગ્રંથિદેશ સુધી જીવ અનંતી વખત આવ્યો, પરંતુ ગ્રંથિના ઉલ્લંઘનને અનુકૂળ સત્ત્વનો સંચય થયો નહીં, પરંતુ ચરમયથાપ્રવૃત્તિકરણમાં ગ્રંથિના ઉલ્લંઘનને અનુકૂળ કંઈક સત્ત્વ સંચિત થાય છે; અને તે સત્ત્વના બળથી જીવ અપૂર્વકરણ પ્રાપ્ત કરે છે, ત્યારે અપૂર્વકરણ દ્વારા ગ્રંથિને ભેદીને ભિન્નગ્રંથિવાળો જીવ અનિવૃત્તિકરણમાં આવે છે; અને અનિવૃત્તિકરણ સુધી મિથ્યાત્વગુણસ્થાનકમાં છે, તોપણ સમ્યકત્વની પ્રાપ્તિની અત્યંત નજીક છે, અને અનિવૃત્તિકરણની સમાપ્તિ સાથે અવશ્ય જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
અહીં ‘કરણ' શબ્દથી જીવનો અધ્યવસાય ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવને યથાપ્રવૃત્તિકરણમાં કંઈક સારો અધ્યવસાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org