SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/પ્રસ્તાવના - આ કાત્રિશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છબસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું. સમ્યગ્દષ્ટિ જીવો તમામ પદાર્થોનું Analysis કર્યા જ કરતા હોય છે. મોહનીયકર્મના તમામ પરિણામોને ઉપયોગ મૂકે તો જાણી શકે તેવી પટુબુદ્ધિવાળા હોય છે. જેમ ઝવેરી હીરાને પારખે તેમ ગુણ-દોષની પરખ કરી શકે છે, પરિણામદર્શી હોય છે ઇત્યાદિ સમ્યગ્દષ્ટિના ગુણોને પ્રાપ્ત કરવા ઇચ્છતા આત્મકલ્યાણના અર્થી જીવોએ સમ્યગ્દષ્ટિના શુશ્રુષાદિ ગુણોમાં યત્ન કરવો જોઈએ. આત્માનો પ્રયત્ન જ્યાં થાય ત્યાં નક્કી ક્ષયોપશમ થાય છે. આ દ્વિત્રિશિકાનું અધ્યયન કરવા દ્વારા મારું વીર્ય પણ સમ્યકત્વની પ્રાપ્તિ માટે ઉલ્લસિત બને, બોધિની પ્રાપ્તિ દ્વારા સંસારનું પરિમિતીકરણ થાય અને યોગીનાથ પરમાત્માએ બતાવેલા યોગમાર્ગને પામી તેમાં ક્રમશઃ આગળ વધું, આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું અને ભવ્ય મુમુક્ષુ સાધકો પણ આ ગ્રંથરત્નના પઠનપાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામી ભવનો વિરહ પ્રાપ્ત કરે, એ જ અંતરની અભ્યર્થના. - જાપામતુ સર્વગીવાળામ” – વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા.ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી ન જ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy