SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/મ્લોક-૨૯-૩૦ વેદને પ્રમાણ સ્વીકારે છે, અને તેવું પ્રમાકરણત્વ જૈનોને પ્રમાણ છે; પરંતુ આંખ બંધ કરીને માત્ર વેદવચનો જે કાંઈ કહે છે તે સર્વ પ્રમાણ છે, તેવો એકાંત જૈનો સ્વીકારતા નથી, અને તેવું વેદનું પ્રમાણપણું શિષ્ટના લક્ષણ તરીકે કોઈ વિચારક પ્રમાતૃ સ્વીકારે નહીં. I॥૨૯॥ અવતરણિકા : પૂર્વશ્લોક-૨૯માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે મિથ્યાદૃષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યક્શ્રુત પણ મિથ્યા છે, અને સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યાશ્રુત પણ સમ્યક્ છે. તેનાથી એ સ્થાપન કર્યું કે શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો નયઅપેક્ષાએ સકલ વેદને પ્રમાણ સ્વીકારે છે; કેમ કે શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવોને વેદવચનોથી પણ તે તે નયઅપેક્ષાએ યથાર્થ બોધ થાય છે. માટે ‘સ્વતાત્પર્યમાં સકલવેદપ્રામાણ્યમંતૃત્વ'રૂપ શિષ્ટનું લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવોમાં સંગત છે. તેનું નિરાકરણ કરવા અર્થે બ્રાહ્મણો શું કહે છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક ઃ तात्पर्यं वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः । ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ।। ३० ।। અન્વયાર્થઃ વઃ=તમારું=શિષ્ટનું લક્ષણ કરનાર બ્રાહ્મણોનું સ્વસિદ્ધાન્તોપનીવ્યમ્ તાત્પર્ય= સ્વસિદ્ધાન્તઉપજીવ્ય તાત્પર્ય છે=‘અમારા વેદવચનોના સિદ્ધાન્ત પ્રમાણે વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ છે' એ પ્રકારનું તાત્પર્ય છે, રૂતિ ચેમ્મતિઃ=એ પ્રકારે જો બ્રાહ્મણોની મતિ છે, તો ગ્રંથકારશ્રી કહે છે - નનુ=ખરેખર ! અવિશેષતઃ=અવિશેષથી દોરપિ=આપણા બંનેનું પણ યુવત્તુપનીi= યુક્તિઉપજીવ્યપણું છે. (તેથી બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં સંગત થશે, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.) શા૩૦ના શ્લોકાર્થ : તમા=શિષ્ટનું લક્ષણ કરનાર બ્રાહ્મણોનું, સ્વસિદ્ધાન્તઉપજીવ્ય તાત્પર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy