SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. સમ્યગ્દગ્લિાનિંશિકા/બ્લોક-૨ આદ્ય કારણભૂત એવા પરમાણુનું પણ જ્ઞાન કરે છે. તેથી ઈશ્વરનું જ્ઞાન કાર્યઅકાર્યસાધારણ છે. માટે આ ઉત્કર્ષ જાતિ કાર્યમાત્રમાં વૃત્તિ નથી, પરંતુ કાર્યઅકાર્યસાધારણ વૃત્તિ છે. તેથી ઉત્કર્ષને જાતિવિશેષ સ્વીકારીશું તોપણ કાર્યવાવચ્છિન્ન પ્રત્યે અનુગત કારણની કલ્પનાની આપત્તિ આવશે નહીં, એ પ્રમાણે નૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે -- આ ઉત્કર્ષ જાતિનું, દેવદત્તાદિ જન્યતાવચ્છેદિકા જાતિ સાથે અને અપકર્ષવિશેષ સાથે સાંકર્યું હોવાથી મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષમાં જાતિપણું નથી. સાંકર્યની વ્યાખ્યા - “પરસ્પરીચત્તામાવનિધિવરાયોરીસમાવેશ સાંવ " અર્થાત્ ભિન્ન ભિન્ન અધિકરણમાં રહેલા ધર્મોનું એકત્ર અવસ્થાન તે સાંક્ય. નિયાયિક મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષજાતિને સ્વીકારે તો તે ઉત્કર્ષ જાતિનું બે રીતે સાર્ધ પ્રાપ્ત થાય છે. (૧) દેવદત્તાદિજાન્યતાવચ્છેદિકા જાતિ સાથે સાંકર્ય. (૨) અપકર્ષવિશેષ સાથે સાંકર્ય. (૧) દેવદત્તાદિજાન્યતાવચ્છેદિકા જાતિ સાથે સાંકર્યઃ | ૧ | ૨ ૩ | ૪ | ૧. ઈશ્વરનું જ્ઞાન. ૨. મનુષ્ય અને દેવનું જ્ઞાન. ૩. ઘટપટાદિ કાર્યો. ૪. ઈશ્વરજ્ઞાન અને દેવમનુષ્યજ્ઞાનસાધારણ ઉત્કર્ષ જાતિ. ૫. દેવદત્તાધિજન્યતાવચ્છેદિકા જાતિદેવદત્તાદિ એવા મનુષ્યથી અને દેવોથી જન્ય એવા જ્ઞાનમાં અને દેવદત્તાદિથી જન્ય એવા ઘટપટાદિ કાર્યમાં દેવદત્તાદિજન્યતાવચ્છેદિકા જાતિ. (i) ઈશ્વર-દેવ-મનુષ્ય જ્ઞાન સાધારણ ઉત્કર્ષ જાતિ નં. ૧ અને નં. રમાં રહે છે. તેથી નં. ૪ થી . ૧-૨ સાધારણ છે તેમ બતાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy