SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૨૬ શ્લોક-૨૦માં બતાવેલ કાકમાં આવતી અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિ બંને દૂર થાય તેવું લક્ષણ કરવામાં આવે તો સર્વ દોષોનો પરિહાર થાય છે, એમ પદ્મનાભ તરફથી કહેવામાં આવે તો, પદ્મનાભ તરફથી કેવું લક્ષણ કરી શકાય ? તે બતાવીને, તેમાં પણ કઈ રીતે દોષ આવે છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક ઃ ૮૬ जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽप्यसन् । उत्कर्षश्चापकर्षश्चाव्यवस्थो यदपेक्षया ।। २६ ।। અન્વયાર્થ : - ખીવવૃત્તિવિશિષ્ટાદ્માવામાવપ્રોપિ=જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવના અભાવનું ગ્રહણ પણ=જીવવૃત્તિ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવનો નિવેશ પણ અન્=અસત્ છે=કાક અને ઈશ્વરમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નિવારણ કરવા સમર્થ નથી, ય—જે કારણથી અપેક્ષવા=અપેક્ષા હોવાને કારણે ઉર્વશ્વાવર્ષT=ઉત્કર્ષ અને અપકર્ષ અવ્યવસ્થઃ અવ્યવસ્થિત છે. ॥૨૬॥ શ્લોકાર્થ ઃ જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવના અભાવનું ગ્રહણ પણ=જીવવૃત્તિ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવનો નિવેશ પણ અસત્ છે= કાક અને ઈશ્વરમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનું નિવારણ કરવા સમર્થ નથી, જે કારણથી અપેક્ષા હોવાને કારણે ઉત્કર્ષ અને અપકર્ષ અવ્યવસ્થિત છે. ।।૨૬।। * ‘નીવવૃત્તિવિશષ્ટાત્માવામાવપ્રોન' - અહીં ‘પિ' થી એ કહેવું છે કે જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનું ગ્રહણ ન કરો તો કાકમાં અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં અવ્યાપ્તિ આવે છે, પરંતુ જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનું ગ્રહણ કરો તોપણ કોઈક સ્થાનમાં અતિવ્યાપ્તિ અને કોઈક સ્થાનમાં અવ્યાપ્તિ આવે છે. માટે જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનું ગ્રહણ પણ અસુંદર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy