SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫-૨૬ ૮૫ કોઈ બ્રાહ્મણ સ્વારસિક વેદપ્રામાણ્યને સ્વીકારતા હોય અને તે ભવમાં વેદઅપ્રામાણ્યનો અભ્યપગમ ન કર્યો હોય, તો તે બ્રાહ્મણ શિષ્ટ છે; અને આ બ્રાહ્મણ મરીને કાગડો થવાનો હોય ત્યારે કાકશરીર અગ્રહદશામાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે; કેમ કે બ્રાહ્મણના ભવમાં યાવતું અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક દેહનો વિરહ હતો અર્થાત્ યાવતું અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરનો પ્રાગભાવ હતો, તે પ્રાગભાવ કાકશરીર અગ્રહદશામાં વિદ્યમાન છે. તેથી શિષ્યનું લક્ષણ કાકશરીર અગ્રહદશામાં પ્રાપ્ત થશે. (૩) કોઈ બ્રાહ્મણ વર્તમાન ભવમાં વેદને પ્રમાણ સ્વીકારે છે અને તે ભવમાં વેદના અપ્રામાણ્યનો અસ્વીકાર પણ છે, અને તે બ્રાહ્મણમાં યાવદ્ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરનો વિરહ પણ છે. તેથી તે બ્રાહ્મણ શિષ્ટ છે; અને આ બ્રાહ્મણ પૂર્વભવમાં બૌદ્ધ હતો ત્યારે સ્વાપાદિ દશામાં વેદઅપ્રામાણ્ય અભ્યુપગમનો વિરહ હતો, અને તે બૌદ્ધ બ્રાહ્મણ થવાનો છે, તેને સામે રાખીને શિષ્યનું લક્ષણ સ્વાપાદિ દશાવાળા બૌદ્ધમાં અતિવ્યાપ્ત થાય છે; કેમ કે યાવદ્ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધનો વિરહ જેમ બ્રાહ્મણના ભવમાં છે, તેમ બ્રાહ્મણના પૂર્વભવરૂપ બૌદ્ધના ભવમાં પણ છે. તેથી તે બૌદ્ધને શિષ્ટ માનવાનો અતિપ્રસંગ આવે. ॥૫॥ અવતરણિકા : યત્કિંચિત્ વેદપ્રામાણ્યને સ્વીકારીને લક્ષણની સંગતિ કરવાથી ત્રણ સ્થાને અતિવ્યાપ્તિ આવે છે, તેમ શ્લોક-૨૫માં બતાવ્યું, અને યત્કિંચિત્ વેદપ્રામાણ્યને ન સ્વીકારવામાં આવે તો તે અતિવ્યાપ્તિદોષનું નિવારણ થાય. તેથી યત્કિંચિત્ વેદપ્રામાણ્યના સ્વીકારનો ત્યાગ કરવામાં આવે; અને શ્લોક-૧૯ સુધી પદ્મનાભે કરેલા શિષ્ટતા લક્ષણને સામે રાખીને શિષ્ટનું લક્ષણ સ્વીકારવામાં આવે તો બ્લોક-૨૦માં બતાવેલ તે પ્રમાણે બ્રાહ્મણ મરીને કાક થાય છે ત્યારે, શિષ્ટતા લક્ષણની અતિવ્યાપ્તિ આવતી હતી, તેના નિવારણ માટે શરીરના વિશેષણરૂપે ‘ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક’ બતાવેલ, જેથી શિષ્ટના લક્ષણની ઈશ્વરમાં અવ્યાપ્તિ આવેલ. હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy