SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૪ પ્રામાણ્યઉપગમથી પૂર્વે વેદપ્રામાણ્યના અભ્યપગમથી પૂર્વે, ત્યાં કાકભવ ઉત્તર એવા બ્રાહ્મણભવમાં, તે નથી-શિષ્ટપણું નથી, એ હેતુથી અલક્ષ્યપણું હોવાથી જ=કાકભવ ઉત્તર એવા બ્રાહ્મણ ભવનું અલક્ષ્યપણું હોવાથી જ, તે નથી=અવ્યાપ્તિ નથી=કાકભવ ઉત્તર પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભાવમાં શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ નથી. વળી વેદપ્રામાણ્ય સ્વીકાર થયે છ0= કાકવિ ઉત્તરમાં પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભાવમાં વેદપ્રામાગ્યનો સ્વીકાર થયે છતે, લક્ષણની સંપત્તિ હોવાને કારણે જન્નતે બ્રાહ્મણમાં શિષ્ટતા લક્ષણની પ્રાપ્તિ હોવાને કારણે જ, અવ્યાપ્તિ નથી, એ પ્રકારનો ભાવ છે. તિ એ પ્રકારે જો પદ્મનાભ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – નનુ વં=એ રીતે પદ્મનાભે શિષ્ટ એવા બ્રાહ્મણમાં અવ્યાપ્તિદોષ દૂર કરવા અર્થે પ્રાભવીય વેદપ્રામાણ્યગ્રહને આશ્રયીને પ્રાપ્ત થતા શિષ્ટ લક્ષણને છોડીને, કાકવિ ઉત્તર બ્રાહ્મણભવીય વેદપ્રામાણ્યના સ્વીકારને આશ્રયીને કાકભવ ઉત્તર પ્રાપ્ત બ્રાહ્મણભવમાં શિષ્ટના લક્ષણની સંગતિ કરી એ રીતે, યત્કિંચિત્ વેદપ્રામાગ્યનો સ્વીકાર જ ગ્રાહ્ય છે=જે ભવનું વેદપ્રામાણ્ય લક્ષણ માટે આવશ્યક હોય તે ભવનું વેદપ્રામાણ્ય સ્વીકારીને લક્ષણની સંગતિ કરવી, એ પ્રમાણે સ્વીકારની પ્રાપ્તિ છે. અને આમ સ્વીકારવાથી શું દોષ આવશે, તે આગળ ગ્રંથકારશ્રી બતાવશે. રજા ભાવાર્થ - શ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે શિષ્ટનું અંતિમ લક્ષણ કર્યું તે પ્રમાણે પણ શિષ્ટનું લક્ષણ સંગત નથી; કેમ કે કોઈ બ્રાહ્મણ કાકભવના કારણભૂત પાપથી કાકભવને પામ્યો, અને કાક ઉત્તર ભવમાં ફરીવાર બ્રાહ્મણ થાય તો તે બ્રાહ્મણમાં પૂર્વના બ્રાહ્મણભવમાં સ્વીકારેલ વેદપ્રામાણ્યને આશ્રયીને પદ્મનાભે કરેલું લક્ષણ અવ્યાપ્ત થાય છે; કેમ કે કાકભવ ઉત્તર બ્રાહ્મણભવમાં તે બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી, અને આ વેદ અપ્રામાણ્યનો અસ્વીકાર પૂર્વના બ્રાહ્મણભવના વેદપ્રામાણ્યસ્વીકારના સમાનકાલીન યાવતુ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર સંબંધના વિરહનું સમાનકાલીન નથી, પરંતુ અસમાનકાલીન છે; કેમ કે વચલા કાકભવમાં કાક શરીરસંબંધના પ્રાગભાવનો નાશ છે. તેથી પદ્મનાભે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy