________________
૬૪
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ જે જીવો સંસારના આશયથી અનુષ્ઠાનો કરે છે. વળી, જેઓનો સંસારનો આશય બાધ પામે તેવો નથી, તેવા જીવો મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ કરવામાં ઉત્સાહિત થતા નથી, એમ કહીએ તો જમાલિ આદિમાં સ્પષ્ટ દેખાતું મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ સંગત થાય નહીં; કેમ કે જમાલિને મોક્ષના ઉપાયથી વિપરીત એવા સ્વમત પ્રત્યેનો અનિવર્તનીય આગ્રહ હતો. તેથી જેમ અબાધ્ય એવી ફળની અપેક્ષાવાળા જીવોને અતત્ત્વનો અનિવર્તિનીય રાગ છે, તેમ જમાલિ આદિને પણ અતત્ત્વનો અનિવર્તનીય રાગ છે. આમ છતાં જમાલિ આદિ તો મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ કરે છે. તેથી અતત્ત્વનો અનિવર્તિનીય રાગ મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણનો ઘાત કરનાર છે, એમ કેમ કહી શકાય ? એથી ગ્રંથકારશ્રી કહે છે –
વ્યાપત્રદર્શનવાળાઓને મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ સ્વારસિક નથી. આશય એ છે કે અતત્ત્વ પ્રત્યેના અનિવર્તનીય રાગવાળા જીવોને મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણમાં સ્વરસ નથી; પરંતુ મોહને વશ થઈ મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ કરે છે, તેથી મોક્ષાર્થ શાસ્ત્રના પરમાર્થને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ જે જીવોમાં કંઈક મોહનો અધિકાર ગયો છે, તેથી અતત્ત્વનો અનિવર્તિનીય રાગ નથી, તેવા જીવો મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ કરે, તો તે શાસ્ત્રથી મોક્ષમાર્ગ પ્રત્યે તેઓનું વલણ થાય છે અને મોક્ષશાસ્ત્રના શ્રવણ દ્વારા તેઓને પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે. તેવું મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ સ્વરસિક શ્રવણ છે, અને તેવું મોક્ષાર્થ શાસ્ત્રનું શ્રવણ વ્યાપન્નદર્શનવાળા જમાલિ આદિને થતું નથી, તેમ અબાધ્ય એવી ફળની અપેક્ષાવાળા અભવ્યોને પણ થતું નથી.
આનાથી એ ફલિત થાય કે જે જીવોની સાંસારિક ફળની અપેક્ષા બાધ પામે તેવી નથી, તેવા જીવો મોક્ષમાર્ગને બતાવનારાં શાસ્ત્રો પ્રત્યે શ્રવણના ઉત્સાહી નથી. ક્વચિત્ વ્યાપત્રદર્શનવાળા જીવો મોક્ષના ઉપાયને બતાવનારાં શાસ્ત્રોનું શ્રવણ કરતા હોય તો પણ જીવના સહજ તત્ત્વ પ્રત્યેના વલણથી મોક્ષમાર્ગને બતાવનારાં શાસ્ત્રોનું શ્રવણ તેઓ કરતા નથી, પરંતુ સ્વમાન્યતા પ્રત્યેના રાગને પરવશ થઈને મોક્ષને બતાવનારાં શાસ્ત્રોનું શ્રવણ કરે છે. તેથી પરમાર્થની પ્રાપ્તિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org