SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/સંકલના આનાથી એ પ્રાપ્ત થયું કે (i) પ્રથમ પ્રકારના જીવોને “મોક્ષ નથી' તેવો બોધ હોવાને કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી, અને (i) બીજા પ્રકારના જીવોને “મોક્ષ છે' તેવો બોધ હોવા છતાં, મોક્ષ પ્રત્યે દ્વેષ થશે તો પોતાને ઇષ્ટ એવું સ્વર્ગ નહીં મળે, તેવો બોધ હોવાથી મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા નથી. અદ્વેષ એટલે શું? – અદ્વેષ એટલે દ્વેષનો સંપૂર્ણ અભાવ : લેષમાં તરતમતા હોય, પણ દ્વેષના અભાવમાં તરતમતા હોઈ શકે નહીં. જેમ ઘટમાં “આ નાનો ઘટ છે', “આ મોટો ઘટ છે” એમ તરતમતા હોય પણ ઘટના અભાવમાં તરતમતા હોતી નથી. વળી જેઓને મોક્ષ પ્રત્યે રાગ છે તેઓને તો મોક્ષનો અદ્વેષ છે, પણ તે અદ્દેષ મોક્ષના રાગમાં વિશ્રાંત થાય છે; અને જેઓને મોક્ષ પ્રત્યે રાગ પ્રગટ્યો નથી, તેવા જીવોને મોક્ષ પ્રત્યે અદ્વેષ છે તે રાગરૂપ નથી, પરંતુ તે અદ્દેષ મોક્ષ પ્રત્યે ઉપેક્ષારૂપ છે. મોક્ષ પ્રત્યે ઉપેક્ષા થાય તેવા અષના પરિણામવાળા જીવો ત્રણ પ્રકારના છે. મોક્ષ પ્રત્યે ઉપેક્ષા છતાં મોક્ષના અષના પરિણામવાળા જીવોના પ્રકાર – (૧) જે જીવોને ભવનો ઉત્કટ રાગ છે, છતાં જેમની બુદ્ધિમાં મોક્ષ જ નથી, તેમને માટે મોક્ષ દ્વેષનો વિષય નથી; તેથી તેમને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ ઉપેક્ષા છે. (૨) અભવ્ય જીવોને તથા ચરમાવર્તની બહારના જીવોને ભોગ પ્રત્યે ઉત્કટ રાગ હોય છે. તેમાંથી કેટલાક જીવોને શાસ્ત્રવચન સાંભળીને “મોક્ષ છે' તેવો સ્વીકાર થાય છે, અને ભવનો ઉત્કટ રાગ હોવાથી મોક્ષ પ્રત્યે દ્વેષ પણ થાય તેમ છે. આમ છતાં આવા જીવો સંસારના સુખના આશયથી સંયમ ગ્રહણ કરીને નવમાં ચૈવેયકની પ્રાપ્તિનું કારણ એવું નિરતિચાર ચારિત્ર પાળે છે ત્યારે, બાહ્ય કોઈપણ પદાર્થ પ્રત્યે રાગદ્વેષ કરતા નથી; કેમ કે રાગદ્વેષ કરવાથી પોતાને ઇષ્ટ એવું સ્વર્ગનું સુખ મળી શકે નહીં, તેવી બુદ્ધિ છે. તેવા જીવો શાસ્ત્રો ભણતાં મોક્ષનું વર્ણન આવે ત્યાં પણ દ્વેષ કરતા નથી, પરંતુ ઉપેક્ષા કરે છે. (૩) જે જીવોને ભાવમળની અલ્પતાને કારણે ભોગની ઉત્કટ ઇચ્છાનો અભાવ છે, તેથી સંસારના કારણભૂત અતત્ત્વનો રાગ હોવા છતાં તે રાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004673
Book TitleMuktiadweshapradhanya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy