SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૪ ગ્રહણ કરનારું ચિત્ત ચિત્તાંતરથી દૃશ્ય સ્વીકારી શકાશે, માટે દશ્ય એવા ચિત્તનું વેદન કરનાર દૃષ્ટાને માનવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – બુદ્ધિનું વેદના અન્ય બુદ્ધિથી માનવામાં અાવસ્થા દોષની પ્રાપ્તિ : જો ઘટપટાદિને ગ્રહણ કરનાર બુદ્ધિ બુદ્ધયંતરથી વેદન થાય છે, તેમ સ્વીકારીને દૃષ્ટા એવો પુરુષ નથી, તેમ સ્વીકારીએ, તો ઘટ-પટાદિને ગ્રહણ કરનારી બુદ્ધિ જેમ સ્વયં બોધવાળી નથી, તેમ બુદ્ધિને ગ્રહણ કરનારી બુદ્ધયંતર પણ=બીજી બુદ્ધિ પણ, સ્વયે બોધવાળી નથી, તેથી તેને પ્રકાશન કરવા માટે ત્રીજી બુદ્ધિની કલ્પના કરવી પડશે, અને તે ત્રીજી બુદ્ધિને ગ્રહણ કરનારી ચોથી બુદ્ધિની કલ્પના કરવી પડશે. આ રીતે અનવસ્થાની પ્રાપ્તિ છે, તેથી પુરુષને હજારો વર્ષના આયુષ્યથી પણ અર્થની પ્રતીતિ થશે નહિ. અહીં પ્રશ્ન થાય કે ઘટ-પટાદિને ગ્રહણ કરનારી બુદ્ધિને ગ્રહણ કરવા માટે બીજી બુદ્ધિની આવશ્યકતા છે, અને બીજી બુદ્ધિને ગ્રહણ કરવા માટે ત્રીજી બુદ્ધિની આવશ્યકતા છે, એ રીતે અનવસ્થાની પ્રાપ્તિ થાય, તોપણ પ્રથમ બુદ્ધિથી અર્થની પ્રતીતિ થવાથી હજારો વર્ષના આયુષ્યવાળા પુરુષને અર્થની પ્રતીતિ થશે નહિ, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -- અપ્રતીત એવી બુદ્ધિ હોતે છતે અર્થ પ્રતીત થતો નથી. આશય એ છે કે જ્યાં સુધી બુદ્ધિનું સંવેદન થાય નહિ ત્યાં સુધી તે બુદ્ધિ અર્થની પ્રતીતિ કરી શકે નહિ, અને બુદ્ધિનું સંવેદન કરવા માટે અન્ય બુદ્ધિની કલ્પના કરવાથી અનંતી બુદ્ધિઓની કલ્પના કરવી પડે છે, અને જ્યાં સુધી તે સર્વ બુદ્ધિઓ દ્વારા પૂર્વ પૂર્વની બુદ્ધિનું સંવેદન થાય નહિ ત્યાં સુધી પ્રથમની બુદ્ધિ અર્થની પ્રતીતિ કરી શકે નહિ, અને અર્થની પ્રતીતિ તો થાય છે. તેથી નક્કી થાય છે કે અર્થની પ્રતીતિ કરનાર બુદ્ધિ છે, અને તે બુદ્ધિની પ્રતીતિ કરનાર પુરુષ છે, પરંતુ અન્ય બુદ્ધિ નથી. એ પ્રકારનો પતંજલિ ઋષિનો આશય છે. વળી અર્થનું સંવેદન કરનારી બુદ્ધિને અન્ય બુદ્ધિ દ્વારા દશ્ય સ્વીકારીએ, તો અનવસ્થા દોષની પ્રાપ્તિ બતાવી, અને તેનાથી ઘટ-પટાદિ અર્થની પ્રતીતિ થઈ શકે નહિ, તેમ બતાવ્યું. હવે ઘટ-પટાદિ અર્થને જાણનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy