SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Go પાતંજલ યોગલક્ષણવિચારદ્વાર્નાિશિકા/શ્લોક-૧૪-૧૫ સંવેદન થાય છે, તેમ સ્વીકારીએ, તો સ્મૃતિસંકર દોષ પણ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે – બુદ્ધિનું વેદના અન્ય બુદ્ધિથી માનવામાં સ્મૃતિસંકર દોષની પ્રાપ્તિ - જેમ કોઈ પુરુષને એક રૂપવિષયક પદાર્થનો બોધ થયો, ત્યારે તે બુદ્ધિ રૂપસ્વરૂપ અર્થનું પ્રકાશન કરે છે, અને રૂપસ્વરૂપ અર્થનું પ્રકાશન કરનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદ્ય છે, વળી તે અન્ય બુદ્ધિ ત્રીજી બુદ્ધિથી સંવેદ્ય છે, એમ અનંત બુદ્ધિઓની પ્રાપ્તિ થશે. વળી તે જ પુરુષને રસરૂપ અર્થનો બોધ થયો, ત્યારે તે બુદ્ધિ રસરૂપ અર્થનું પ્રકાશન કરે છે, અને રસરૂપ અર્થનું પ્રકાશન કરનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદ્ય છે, વળી તે અન્ય બુદ્ધિ ત્રીજી બુદ્ધિથી સંવેદ્ય છે, એમ અનંત બુદ્ધિઓની પ્રાપ્તિ થશે. . આ રીતે એક પુરુષને રૂપનું જ્ઞાન થયું અને પછી રસનું જ્ઞાન થયું, ત્યારે રૂપની સાથે સંબંધવાળી અનંતી બુદ્ધિઓ અને રસની સાથે સંબંધવાળી અનંતી બુદ્ધિઓના સંસ્કારો પડશે. પછી જ્યારે તે પુરુષ તે રૂપ અને તે રસનું સ્મરણ કરવા પ્રયત્ન કરશે, ત્યારે એક સાથે ઘણી બધી સ્મૃતિઓ ઉત્પન્ન થાય છે, તેથી કઈ સ્મૃતિ રૂપવિષયક છે અને કઈ સ્મૃતિ રસવિષયક છે, તેનું ગ્રહણ થશે નહિ; કેમ કે અનંતી બુદ્ધિઓમાંથી કઈ બુદ્ધિ રૂપવિષયક છે અને કઈ બુદ્ધિ રસવિષયક છે, તેનો ભેદ કરવો અશક્ય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બુદ્ધિ પરપ્રકાશક છે, સ્વપ્રકાશક નથી; અને બુદ્ધિને બુદ્ધયંતરથી વેદ્ય સ્વીકારીએ તો સ્મૃતિસંકર થાય. આ પ્રકારના દોષોની પ્રાપ્તિ હોવાથી બુદ્ધિ પુરુષથી વેદ્ય છે, અને અર્થ બુદ્ધિથી વેદ્ય છે, એમ માનવું ઉચિત છે, એ પ્રકારનો પતંજલિ ઋષિનો આશય છે. આવા અવતરણિકા :नन्वेवं कथं विषयव्यवहार इत्यत्राह - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy