SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ અવતરણિકાનો ભાવાર્થ : પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ ચિત્ત સત્ત્વના ઉત્કર્ષવાળું હોવાથી=પ્રકૃતિના સત્ત્વ, રજસ્, તમોગુણમાંથી સત્ત્વગુણના ઉત્કર્ષવાળું હોવાથી, નિર્મળ છે. તેથી નિર્મળ એવું ચિત્ત જો પ્રકાશક બનતું હોય તો તે નિર્મળ ચિત્ત જેમ અર્થનું પ્રકાશન કરે છે, તેમ પોતાનું પણ પ્રકાશન કરનાર બને, અને ચિત્તને સ્વ-પરપ્રકાશક સ્વીકારી લઈએ તો સંસારી જીવોને બાહ્ય પદાર્થોનું જે જ્ઞાન થાય છે, તે સંગત થાય; અને સંસારી જીવોને પોતે જ્ઞાનવાળા છે, તેવો બોધ થાય છે, તેની સંગતિ ચિત્તથી થઈ જાય છે, તેથી અનુભવાતો વ્યવહાર પુરુષને માન્યા વગર ચિત્તથી સંગત થાય છે, માટે વિષયને ગ્રહણ કરનાર ચિત્ત છે અને તે ચિત્તથી અન્ય એવો પુરુષ ચિત્તનો ગ્રહીતા=ગ્રહણ કરનાર છે, તેમ કહીને પુરુષરૂપ એક નવા પદાર્થની કલ્પના કરવી ઉચિત નથી. એ પ્રકારની કોઈને શંકા થાય, તેના નિવારણ માટે પતંજલિ ઋષિ કહે છે -- ૫૩ * સ્વ(પર)પ્રજાશવત્વાર્થસ્યેવાત્મનોઽપિ - અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે ચિત્ત પદાર્થનું તો પ્રકાશક છે, પરંતુ આત્માનું=પોતાનું, અર્થાત્ ચિત્તનું પોતાનું પણ પ્રકાશક છે. શ્લોક ઃ स्वाभासं खलु नो चित्तं दृश्यत्वेन घटादिवत् । तदन्यदृश्यतायां चानवस्थास्मृतिसङ्करौ ।।१४।। અન્વયાર્થ : દૃશ્યત્વેન=દૃશ્યપણું હોવાને કારણે=ચિત્તનું દૃગ્વિષયપણું હોવાને કારણે, ઘટાવિવત્ ઘટાદિની જેમ ચિત્ત હતુ=ચિત્ત ખરેખર સ્વામાાં ન=સ્વઆભાસ નથી=સ્વપ્રકાશક નથી. Jain Education International કેમ ચિત્ત સ્વપ્રકાશક નથી ? તેમાં પતંજલિ ઋષિ યુક્તિ બતાવે છે તદ્દન્યદૃશ્યતામાં ૨=અને તેનાથી અન્ય વડે દૃશ્યતામાં=તે ચિત્તથી અન્ય વડે તે ચિત્તની દૃશ્યતા સ્વીકારવામાં અનવસ્થાસ્મૃતિસરો=અનવસ્થા અને સ્મૃતિસંકર દોષ છે. 119811 For Private & Personal Use Only ―― www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy