SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૧૩ પ૧ * રિમિત્વે ..... સવા જ્ઞાતૃત્વ ને સ્થતિ અહીં પણ જ્ઞાતૃવં છે ત્યાં જ્ઞાતત્વ પાઠ હોવો જોઈએ; કેમ કે આત્માનું પરિણામિપણું હોતે છતે ચિતુછાયા સંક્રમ કદાચિત્ક થવાથી ચિત્તવૃત્તિઓનું સદા જ્ઞાતપણું નહિ થાય, એ અર્થ સંગત જણાય છે. રૂમુવત્તિ ભવતિ થી અપરિમિત્વા સુધીના કથનનો ભાવાર્થ - પાતંજલ મતાનુસાર પુરુષ ચિટૂપ છે અને સદા ચિચ્છાયારૂપે પ્રકૃતિમાં અધિષ્ઠાતારૂપે વ્યવસ્થિત છે, અને તે વખતે જે અંતરંગ નિર્મળ એવું સત્ત્વ=ચિત્ત, છે તે પણ સદા વ્યવસ્થિત છે. તે ચિત્ત જે અર્થથી=પદાર્થથી, ઉપરક્ત થાય છે અર્થાત્ ચિત્ત જે જે અર્થોને ગ્રહણ કરે છે, તે તે અર્થોના આકારરૂપે પરિણમન પામે છે, અને તે વખતે તેવા પ્રકારના ઘટ-પટાદિ દૃશ્યની ચિચ્છાયા ચિત્તમાં સંક્રમ પામે છે, તેથી તે ચિત્તમાં સદા જ્ઞાતત્વ સિદ્ધ થાય છે અર્થાત્ ચિત્ત કોઈ ક્ષણમાં જ્ઞાન વગરનું નથી, પરંતુ સદા જ્ઞાનવાળું છે તેમ સિદ્ધ થાય છે. હવે જો આત્મા પરિણામી હોય તો ક્યારેક આત્માની ચિચ્છાયાનો સંક્રમ થાય અને ક્યારેક આત્માની ચિચ્છાયાનો સંક્રમ ન થાય, તેથી ચિત્તમાં સદા જ્ઞાતત્વ પ્રાપ્ત થાય નહિ. પતંજલિ ઋષિનો આશય એ છે કે ચિત્તની પાંચે વૃત્તિઓ જ્ઞાનસ્વરૂપ છે; અને સંસારી જીવોને અનુભવ છે કે આપણું ચિત્ત આ પાંચ વૃત્તિઓમાંથી કોઈ ને કોઈ વૃત્તિવાળું સદા હોય છે, તેથી ચિત્તનું સદા જ્ઞાતપણું છે; અને ચિત્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે અને તે જડ છે, તેથી ચિત્તનો જ્ઞાનસ્વભાવ નથી; છતાં તે નિર્મળ ચિત્તમાં બાહ્ય પદાર્થો સદા જ્ઞાત હોય છે, તેનું કારણ ચૈતન્ય સ્વરૂપ પુરુષની છાયા સદા ચિત્તમાં પડે છે. જો પુરુષ પરિણામી હોય તો ચિત્તમાં ક્યારેક પુરુષની છાયા પડે અને ક્યારેક પુરુષની છાયા ન પડે, અને જ્યારે ચિત્તમાં પુરુષની છાયા ન પડે ત્યારે જડ એવું ચિત્ત શેયનું જ્ઞાન કરી શકે નહિ, તેથી ચિત્તમાં શેય પદાર્થનું જ્ઞાતપણું સદા અંગત થાય નહિ, અને સંસારી જીવોના ચિત્તમાં શેયનું જ્ઞાતપણું સદા દેખાય છે, તેથી અનુમાન થાય છે કે જે પુરુષની ચિચ્છાયાથી ચિત્તમાં સદા જ્ઞાતપણું છે, તે પુરુષ અપરિણામી છે. ટીકામાં પાતંજલયોગસૂત્ર-૪/૧૭ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy