SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૨-૧૩ ૪૭ છે, તે પ્રકૃતિનું કાર્ય છે, તેથી પ્રકૃતિ પુરુષને ભોગ સંપાદન કરાવે છે, પુરુષ ભોગ સંપાદન માટે યત્ન કરતો નથી. આ પ્રકારની પતંજલિ ઋષિની માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પુરુષથી ભિન્ન એવી પ્રકૃતિ જડ છે અને જડ એવી તે પ્રકૃતિનું પુરુષને ભોગ સંપાદન કરવાના પ્રયોજનનું કર્તવ્યપણું અયુક્તિવાળું છે; કેમ કે “પુરુષાર્થ મારે કરવો જોઈએ” અર્થાત્ પુરુષના ભોગ સંપાદનરૂપ પ્રયોજન મારે કરવું જોઈએ એવો અધ્યવસાય તે પુરુષાર્થકર્તવ્યતા છે, અને આવો અધ્યવસાય જડ પ્રકૃતિનો સંભવે નહિ. આમ છતાં જડ પ્રકૃતિનો અધ્યવસાય કરવાનો સ્વભાવ સ્વીકારવામાં આવે તો પ્રકૃતિને જડ સ્વીકારી શકાય નહિ, અને પતંજલિ ઋષિ પ્રકૃતિને જડ સ્વીકારે છે, પુરુષને ચેતન સ્વીકારે છે અને જડ એવી પ્રકૃતિ પુરુષના ભોગ સંપાદન માટે પ્રવૃત્ત થાય છે, તેમ કહે છે, તે કથન યુક્તિવાળું નથી. Inશા અવતરણિકા : अत्र स्वसिद्धान्ताशयं प्रकटयन् पूर्वपक्षी शङ्कते - અવતરણિકાર્ય : અહીં શ્લોક-૧૧-૧૨માં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિના મતમાં ત્રણ દૂષણો આપ્યાં તેમાં, શ્લોક-૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી સ્વસિદ્ધાંતના આશયને પ્રગટ કરતાં પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિ શંકા કરે છે પોતાના મતમાં આ દોષો આવતા નથી, એ પ્રકારે ગ્રંથકારે આપેલા દૂષણોમાં કહે છે - અવતરણિકાનો ભાવાર્થ - શ્લોક-૧૧-૧૨માં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિની માન્યતામાં ત્રણ દૂષણો આપ્યાં. (૧) પતંજલિ ઋષિ આત્માને અપરિણામી સ્વીકારે છે, તેથી ફૂટસ્થ આત્માનો કાં તો અસંસાર થાય કાં તો અમોક્ષ થાય. (૨) વળી પતંજલિ ઋષિ પ્રકૃતિ એક છે તેમ સ્વીકારે છે અર્થાત્ પ્રતિ વ્યક્તિ આશ્રયી જુદી જુદી પ્રકૃતિ નથી, પરંતુ એક પ્રકૃતિ છે તેમ સ્વીકારે છે, તેથી એકની મુક્તિમાં બધાની મુક્તિ થાય અથવા કોઈની મુક્તિ થાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy