SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૯-૧૦ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ચિત્તવૃત્તિનિરોધમાં વૈરાગ્યની ઉપકારક આધારકતા : બાહ્ય વિષયોમાં પ્રવૃત્તિ કરવાથી આત્માને ક્લેશ ઉત્પન્ન થાય છે, એ રૂપ દોષનું દર્શન થાય છે, અને એ દોષદર્શનને કારણે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વળી આત્માના ક્ષયોપશમભાવના ગુણો પણ પ્રશસ્ત રાગસ્વરૂપ હોવાથી સ્વર્ગાદિના કારણ છે, એ પ્રકારે દોષનું દર્શન થવાથી ક્ષયોપશમભાવના ધર્મો પ્રત્યે પણ વિરક્તભાવ થાય છે. આ પ્રકારના દોષદર્શનના કારણે અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તેથી તે વૈરાગ્ય બાહ્ય વિષયોમાં કે ક્ષયોપશમભાવના ગુણોમાં પ્રવૃત્તિના અભાવરૂપ વિમુખભાવ ઉત્પન્ન કરે છે, અને બાહ્ય વિષયોથી અને ક્ષયોપશમભાવના ગુણોથી વિમુખ થયેલું ચિત્ત સ્વનો નિરોધ કરવા માટે સમર્થ બને છે, તેથી ચિત્તનિરોધ કરવા માટે યોગીને વૈરાગ્ય ઉપકારક બને છે. Imલા અવતરણિકા - શ્લોક-૭માં ચિત્તવૃત્તિનિરોધના ઉપાયો અભ્યાસ અને વૈરાગ્ય છે, તેમ બતાવ્યું. ત્યાર પછી શ્લોક-૮માં અને શ્લોક-૯ના પૂર્વાર્ધથી અપરવૈરાગ્ય અને પરવૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું અને શ્લોક-૯ના ઉત્તરાર્ધથી તે બંને પ્રકારના વૈરાગ્યો ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપયોગી છે તે બતાવ્યું. હવે ચિત્તવૃત્તિનિરોધ માટે કરાતો અભ્યાસ કઈ રીતે ચિત્તવૃત્તિનિરોધમાં ઉપયોગી છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :निरोधे पुनरभ्यासो जनयन् स्थिरतां दृढाम् । परमानन्दनिष्यन्दशान्तश्रोतःप्रदर्शनात् ।।१०।। અન્વયાર્થ - પુના=વળી દૃઢાં સ્થિરતાં દઢ સ્થિરતાને નનય—ઉત્પન્ન કરતો અભ્યાસક અભ્યાસ અર્થાત્ વિરોધ કરવા વિષયક કરાતો અભ્યાસ પરમાનનિશ્ચન્દ્રશાન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy