SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૯ કેળવે છે, અને સંસારના પરિભ્રમણના કારણભૂત ક્ષમાદિભાવોથી વિપરીત ક્રોધાદિ ભાવો પ્રત્યે દ્વેષ કરે છે, અને તેની વૃદ્ધિના ઉપાયભૂત પ્રવૃત્તિઓ પ્રત્યે દ્વેષ કરે છે. આ પ્રકારનો પરિણામ અપરવૈરાગ્યકાળમાં હોય છે. ત્યારપછી આત્મા માટે ક્ષયોપશમભાવના ધર્મો પણ ત્યાજ્ય છે, તેથી ક્ષયોપશમભાવની થતી અનેક પ્રકારની લબ્ધિઓ તેમ જ ક્ષયોપશમ ભાવના ધર્મો પ્રત્યે પણ તૃષ્ણાનો અભાવ પર વૈરાગ્યકાળમાં યોગીને થાય છે, માટે ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને સાધક યોગી ક્ષાયિક ભાવના ધર્મોને પ્રગટ કરવા યત્ન કરે છે. આ પ્રકારનો પરિણામ પરવૈરાગ્યકાળમાં હોય છે. વળી ક્ષપકશ્રેણીમાં ચડેલ યોગી ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને બારમા ગુણસ્થાનકે આવે છે ત્યારે સંપૂર્ણ વિતૃષ્ણાવાળા થાય છે તેથી પરવૈરાગ્ય સ્થિરભાવવાળો હોય છે, આમ છતાં મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તેથી ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ થયો નથી; પરંતુ કેવળજ્ઞાન પામે છે ત્યારે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ થાય છે. આ ચિત્તની વૃત્તિઓનો વિરોધ કરવા માટે અપરવૈરાગ્ય પ્રારંભિક ભૂમિકામાં સહાયક બને છે અને પરવૈરાગ્ય સાક્ષાત્ સહાયક બને છે; કેમ કે સંપૂર્ણ તૃષ્ણા વગરના થયેલા બારમા ગુણસ્થાનકવાળા યોગી મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તના પ્રવર્તનનો પણ નિરોધ કરીને શીધ્ર કેવલજ્ઞાન પામે છે. વળી મતિજ્ઞાન એ મનનરૂપ છે અને મનન ચિત્તથી થાય છે, તેથી જ્યાં સુધી મનન છે, ત્યાં સુધી ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ નથી, પરંતુ તેના પૂર્વે મોહઆકુળ મતિનો નિરોધ છે અને કેવલજ્ઞાન થાય છે ત્યારે મનની પ્રવૃત્તિ નથી, માટે ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ છે. જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિષયવૈતૃશ્ય અને ગુણવૈતૃશ્યનું સ્વરૂપ : અપરવૈરાગ્યમાં પાંચ ઇંદ્રિયોના વિષયો પ્રત્યે અને પરલોકના દેવાદિ ભાવો પ્રત્યે વિરક્તભાવ હોય છે, અને પરવૈરાગ્યમાં ક્ષાયોપથમિક ભાવો પ્રત્યે વિરક્તભાવ હોય છે અને ક્ષાયિકભાવો પ્રત્યે પણ વિરક્તભાવ હોય છે. ક્ષાયોપથમિક ભાવો પ્રત્યે વિરક્તભાવ થવાને કારણે લાયોપથમિક ભાવનો ત્યાગ થાય છે, અને ક્ષાયિક ભાવો જીવની સહજ પ્રકૃતિરૂપ હોવાથી પ્રગટ થાય છે, પરંતુ ક્ષાયિક ભાવો પ્રત્યે જીવને તૃષ્ણા હોતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy