SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૫-૬ છે, તે મતિજ્ઞાનનો ઉપયોગ : (૧) અવગ્રહ (૨) ઇહા (૩) અપાય અને (૪) ધારણા એમ ચાર ભેદવાળો છે, અને ધારણાના ત્રણ ભેદો છે (૧) અવિચ્યુતિ (૨) વાસના અને (૩) સ્મૃતિ. કોઈપણ પદાર્થનો ઇંદ્રિયો દ્વારા કે મન દ્વારા બોધ થાય, ત્યારે પ્રથમ અવગ્રહ, પછી ઇહા અને પછી અપાય વર્તે છે; અને ક્વચિત્ તે અપાયની અવિચ્યુતિરૂપ ધારણા પણ વર્તે છે. આ અર્થાવગ્રહાદિ મતિજ્ઞાનના ઉપયોગો ઉપયોગકાળમાં તદ્ તદ્ આવારક કર્મોનો ક્ષયોપશમભાવ કરે છે, અને તે ક્ષોપશમભાવને કારણે આત્મામાં શક્તિરૂપે વિદ્યમાન એવું જ્ઞાન ક્ષયોપશમભાવરૂપે પ્રગટ થાય છે; અને તે ઉપયોગ નષ્ટ થાય છે ત્યારે તે જ્ઞાનનું આવારક કર્મ ક્ષયોપશમભાવરૂપે રહેલું હોય છે, તેથી તેની સાથે ઉપયોગનો યોગ થાય તો પૂર્વમાં જે જ્ઞાન કરેલું, તેની સ્મૃતિ થાય છે, તેથી પૂર્વનો બોધ તે પ્રકારે આત્મામાં રહેલો છે કે જેને પુરુષ જાણવાને અનુકૂળ મનોવ્યાપારમાત્રથી તે અર્થનું સ્મરણ કરી શકે છે અર્થાત્ પૂર્વમાં પોતે જે જ્ઞાન કરેલું તે જ્ઞાનનું સ્મરણ થઈ શકે છે, એવા પ્રકારના મંદ આવરણવાળો એવો જ્ઞાનનો પરિણામ તે વાસના છે; અને આ મંદઆવરણયુક્ત એવું સંસ્કારરૂપે રહેલું જ્ઞાન વધારે કાળ જાય તો ધીરે ધીરે નષ્ટ પણ થઈ જાય છે; કેમ કે નવા બંધાતા કર્મોથી મંદ આવરણવાળા તે જ્ઞાનાવરણીય કર્મો અધિક આવરણવાળાં બની જાય તો પૂર્વમાં અનુભવેલા પદાર્થનું સ્મરણ થઈ શકે તેવો ક્ષયોપશમભાવ રહેતો નથી, ત્યારે તે વાસના નષ્ટ થઈ તેમ કહેવાય છે; અને ઉપયોગમાત્રથી અનુભવેલા પદાર્થોનું સ્મરણ થઈ શકતું હોય તો તે ક્ષયોપશમભાવરૂપે રહેલું જ્ઞાન વાસનાસ્વરૂપ છે તેમ કહેવાય છે. 11411 અવતરણિકા : ચિત્તવૃત્તિના (૧) પ્રમાણ (૨) ભ્રમ (૩) વિકલ્પ અને (૪) નિદ્રા, એમ ચાર ભેદો બતાવ્યા, પછી સ્મૃતિરૂપ પાંચમા ભેદનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે. વળી શ્ર્લોક-૧માં ‘ચિત્તવૃત્તિનો વિરોધ' યોગ છે, એમ યોગનું લક્ષણ કરેલ, તેથી ચિત્ત પદાર્થ, ચિત્તની વૃત્તિ પદાર્થ બતાવ્યા પછી ચિત્તવૃત્તિના નિરોધ પદાર્થને ગ્રંથકારશ્રી બતાવે છે – Jain Education International ― For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy