SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાશકશ્લોક-૫ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાઈ ને ક્રિપનું સ્વરૂપ : જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે નિદ્રા, નિદ્રા-નિદ્રા આદિ પાંચ દર્શનાવરણીય કર્મના ભેદો છે. તેના ઉદયથી જીવમાં નિદ્રા, નિદ્રા-નિદ્રા આદિ ભાવો પ્રગટે છે. વળી જીવમાં દર્શનાવરણ અને જ્ઞાનાવરણ કર્મનો ઉદય વર્તે છે અને સ્વભૂમિકા અનુસાર ક્ષયોપશમભાવ પણ વર્તે છે, તેથી દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી જીવને ચક્ષુદર્શન કે અચક્ષુદર્શનનો ઉપયોગ પ્રવર્તે છે, તેથી ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થનો બોધ થાય છે, અને જાગૃત અવસ્થામાં જીવને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનો ક્ષયોપશમ વર્તતો હોવાથી તે તે અંશમાં દર્શનનો ઉપયોગ વર્તે છે; અને નિદ્રાનું આપાદક કર્મ ઉદયમાં આવે છે ત્યારે પ્રગટ થયેલું એવું ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન હણાય છે, તેથી ચક્ષુથી અને અન્ય ઇંદ્રિયોથી જીવને સામાન્ય બોધ થતો હતો, તે બોધ થતો અટકે છે, તેથી નિદ્રાકાળમાં નિદ્રાના આપાદક કર્મના ઉદયથી ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન હણાયેલ હોવાથી બાહ્ય પદાર્થોનો બોધ નિદ્રાકાળમાં થતો નથી. માટે ભાવપ્રત્યયના આલંબન વગરની આત્મામાં વાસના પડે છે અર્થાત્ જેમ જાગૃત અવસ્થામાં “હું આ ઘટાદિ પદાર્થોને જાણું છું' એ પ્રકારનો બોધ હોવાને કારણે ઘટાદિ ભાવોના આલંબનવાળી વાસના પડે છે; જ્યારે નિદ્રાકાળમાં હું કોઈ ભાવાત્મક વસ્તુને જાણતો નથી, એવા પ્રકારની વાસના પડે તેવો મંદ મંદ બોધ વર્તે છે, આથી સૂઈને ઊઠ્યા પછી નિદ્રાકાળમાં મને કોઈ વસ્તુનો બોધ ન હતો, તેવા અભાવપ્રત્યયવાળી સ્મૃતિ થાય છે. વળી નિદ્રાકાળમાં પોતે સુખનો અનુભવ કર્યો છે, તેવી પણ વૃત્તિ છે, આથી પુરુષ સૂઈને ઊઠે છે ત્યારે “હું સુખપૂર્વક સૂતેલો' તેવી સ્મૃતિ થાય છે, તેથી નિદ્રાકાળમાં ચિત્તનો તેવો મંદ જ્ઞાનનો ઉપયોગ છે કે જે જ્ઞાનના ઉપયોગમાં બાહ્ય પદાર્થોનું મને કોઈ જ્ઞાન નથી' તેવા પ્રકારની વાસના પડે છે, અને “હું સુખનો અનુભવ કરું છું,' તેવી વાસના પડે છે, અને તે વાસનાના કારણે ઉત્તરમાં “હું સુખે સૂતેલો' તે પ્રકારનું સ્મરણ થાય છે. જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વાસનાનું સ્વરૂપ - વળી જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે છદ્મસ્થ જીવોને મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy