SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-પ તલી - તેને કહે છે નિદ્રાના લક્ષણો, પાતંજલ યોગસૂત્ર-૧/૧૦માં કહે છે – “અમાવ ..... નિદ્રા, “અભાવપ્રત્યયના આલંબનવાળી વૃત્તિ નિદ્રા છે.” રૂાં ય .... અનુપપ: 1 અને આકનિદ્રા, જાગૃત અવસ્થામાં સ્મૃતિનું દર્શન હોવાને કારણે=“સુખે હું સૂતેલો” એ પ્રમાણે સ્મૃતિનું આલોચન હોવાને કારણે, સુખાદિવિષયવાળી વૃત્તિ છે; કેમ કે તિદ્રાકાળમાં સુખના અનુભવમાં ત્યારે જાગૃત અવસ્થામાં, તેની સ્મૃતિની અનુપપત્તિ છે સુખની સ્મૃતિની અનુપપત્તિ છે. પા. * નિદ્રામાં અભાવપ્રત્યયના આલંબનવાળી વાસના પડે છે, તેથી કોઈ બાહ્ય વસ્તુને હું જાણતો નથી, તેવા પ્રકારનો બોધ વર્તે છે, તેને સુવિ માં આદિ શબ્દથી ગ્રહણ કરવો. ભાવાર્થ :(૪) નિદ્રાનું સ્વરૂપ – પાતંજલ મતાનુસાર ચિત્તની પરિણતિરૂપ નિદ્રા છે, અને તે પરિણતિકાળમાં કોઈક ભાવની પ્રતીતિ થાય છે, તેવો બોધ હોતો નથી અર્થાત્ જેમ જાગૃત અવસ્થામાં હું ઘટાદિ પદાર્થોને જાણું છું' તેવા ભાવપ્રત્યયના આલંબનવાળો બોધ છે, તેવો બોધ નિદ્રાકાળમાં થતો નથી, પરંતુ નિદ્રાકાળમાં કોઈ પદાર્થને હું જાણતો નથી' તેવી પ્રતીતિ વર્તે છે, તેનું કારણ અંધકારનું સતત ઉદ્રકપણું છે અર્થાત્ જાગૃત અવસ્થામાં બાહ્ય પદાર્થનો બોધ થાય છે, ત્યારે વચવચમાં અજ્ઞાનતા પણ દેખાય છે, તેથી જ બાહ્ય પદાર્થમાં કાંઈક બોધ થાય છે ત્યારે કાંઈક અજ્ઞાનરૂપ અંધકાર પણ વર્તે છે; જ્યારે નિદ્રા અવસ્થામાં સતત અજ્ઞાનરૂપ અંધકારનો ઉદ્રક છે, તેથી બાહ્ય પદાર્થવિષયક લેશ પણ બોધ થતો નથી. આમ છતાં જાગ્યા પછી ‘હું સુખે સૂતેલો' એ પ્રકારે સ્મૃતિ થાય છે, તેથી નિદ્રાકાળમાં સુખનો અનુભવ થાય છે, માટે નિદ્રાકાળમાં સતત અંધકારનો ઉદ્રક હોવા છતાં સુખના અનુભવને કરાવે તેવો મંદ મંદ જ્ઞાનનો પરિણામ વર્તે છે, તેને કારણે આત્મામાં સુખના અનુભવના સંસ્કારો પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy