SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોલક્ષણવિચારતાસિંશિકા/સંકલના જડ એવી પ્રકૃતિ પુરુષને ભોગસંપાદન કરે છે અને અપવર્ગ સંપાદન કરે છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેનું સમાધાન પતંજલિ ઋષિ શ્લોક-૧ત્માં કરે છે – પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની અનુલોમ અને પ્રતિલોમ બે શક્તિ છે; અને અનુલોમ શક્તિથી બહિર્મુખ પરિણામ થાય છે, માટે પ્રકૃતિ પુરુષને ભોગ સંપાદન કરે છે; અને પ્રતિલોમ શક્તિથી સ્વકારણમાં પ્રકૃતિ લય પામે છે ત્યારે, સહજ શક્તિદ્વયનો ક્ષય થવાથી કૃતાર્થ થયેલી પ્રકૃતિ પરિણામનો આરંભ કરતી નથી. તેથી જડ એવી પ્રકૃતિમાં કર્તવ્યતાના અધ્યવસાયનો અભાવ હોવા છતાં આવા પ્રકારની પુરુષાર્થની કર્તવ્યતા સ્વીકારવામાં કોઈ દોષ નથી. વળી પ્રકૃતિમાં પ્રતિલોમ શક્તિ સહજ છે, અને પ્રતિલોમ શક્તિ જ્યારે પ્રવર્તશે ત્યારે ઉભયશક્તિનો નાશ થશે, તેથી પુરુષનો અપવર્ગ થશે. આમ સિદ્ધ થવાથી મોક્ષ માટેનો યત્ન યોગીને કરવાનો આવશ્યક રહે નહિ, તેથી મોક્ષના ઉપદેશની પણ અનાવશ્યકતા સિદ્ધ થાય, એમ કોઈને શંકા થાય. તેનું સમાધાન શ્લોક-૨૦માં પતંજલિ ઋષિ કરે છે : મોક્ષશાસ્ત્રના શ્રવણથી દુઃખના નાશ માટે પ્રકૃતિના સ્મયના=અભિમાનના, વર્જનમાં પ્રવૃત્તિ થાય છે. તેથી પ્રકૃતિના કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે મોક્ષશાસ્ત્રનો ઉપદેશ અને મોક્ષ માટેનો યત્ન નિરર્થક નથી. આ પ્રકારના પતંજલિ ઋષિના સમાધાનને સામે રાખીને શ્લોક-૨૧માં ગ્રંથકારશ્રી કહે છે : આ રીતે પ્રકૃતિનો મોક્ષ થશે, પુરુષનો નહિ થાય; કેમ કે પુરુષ અપરિણામી છે, અને પ્રકૃતિમાં અનુલોમ પરિણામ અને પ્રતિલોમ પરિણામ એ બે સહજ શક્તિ છે, અને પ્રકૃતિના અનુલોમ પરિણામ અને પ્રતિલોમ પરિણામ એ બે પરિણામના ક્ષય અર્થે કર્તુત્વના સ્મયની=અભિમાનની, નિવૃત્તિ આવશ્યક છે, અને તે કર્તુત્વના સ્મયનું અભિમાનનું વર્જન પ્રકૃતિને થાય છે, પુરુષને થતું નથી. તેથી પ્રકૃતિની મુક્તિ થશે, પુરુષની નહિ થાય, અને તેમ સ્વીકારવામાં આવે તો સાંખ્ય દર્શનકાર શ્લોક-૨૨માં જે કહે છે તે તેમનું વચન વૃથા સિદ્ધ થાય અર્થાત્ સાંખ્યદર્શનકાર કહે છે કે પચ્ચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે, તે વચન વ્યર્થ સિદ્ધ થશે. ' આ રીતે પતંજલિ ઋષિના મતમાં પુરુષની મુક્તિ સ્વીકારવામાં દોષ બતાવીને શ્લોક-૨૨ની ટીકામાં ગ્રંથકારશ્રી કહે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy