SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ સાંખ્યદર્શનકાર તરફથી ભિન્ન ભિન્ન બુદ્ધિઅવચ્છેદેન પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણાનો અવિરોધઃ એકની મુક્તિમાં સર્વની મુક્તિ સ્વીકારવાની આપત્તિનો પરિહાર થઈ શકે નહિ, એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં સાંખ્યદર્શનકાર તરફથી કોઈ કહે કે એક વૃક્ષમાં સંયોગ અને સંયોગાભાવની જેમ પ્રકૃતિમાં પણ ભિન્ન ભિન્ન બુદ્ધિના અવચ્છેદથી મુક્તપણા અને અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ નથી. આશય એ છે કે કોઈ એક વૃક્ષમાં શાખાવચ્છેદન કપિસંયોગ છે, અને મૂલાવચ્છેદન કપિસંયોગ નથી, તેથી વૃક્ષ એક હોવા છતાં તેમાં કપિસંયોગ અને કપિસંયોગાભાવ સંગત થઈ શકે છે. તેમ સર્વજનસાધારણ પ્રકૃતિ એક હોવા છતાં જે બુદ્ધિએ અપવર્ગ સંપાદન માટે યત્ન કર્યો તે બુદ્ધિઅવચ્છેદન પ્રકૃતિમાં મુક્તપણું છે, અને જે બુદ્ધિએ અપવર્ગસંપાદન માટે યત્ન કર્યો નથી, તે બુદ્ધિઅવચ્છેદન પ્રકૃતિમાં અમુક્તપણું છે, માટે પ્રકૃતિ એક સ્વીકારવા છતાં પ્રકૃતિમાં મુક્તપણા, અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ નથી, તેથી એકની મુક્તિમાં સર્વની મુક્તિ સ્વીકારવાની આપત્તિ આવશે નહિ. તેમ સાંખ્યદર્શનકાર તરફથી કોઈ કહે, તેને ગ્રંથકારશ્રી શ્લોકના ચરમપાદથી કહે છે – ગ્રંથકારશ્રી તરફથી મુક્તિની અવ્યાપ્યવૃત્તિતાના સ્વીકાર વગર બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિનો અપરિહાર : જો સાંખ્યદર્શનકારો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારે તો બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં સર્વની મુક્તિની આપત્તિનો પરિહાર થઈ શકે નહિ. આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ વૃક્ષના એક ભાગમાં કપિસંયોગ છે અને અન્ય ભાગમાં કપિસંયોગ નથી, તેથી તે સંયોગમાં અવ્યાપ્યવૃત્તિતા છે; તેમ એક પ્રકૃતિમાં પણ ભિન્નબુદ્ધિઅવચ્છેદન મુક્તપણું છે, અને ભિન્નબુદ્ધિઅવચ્છેદન અમુક્તપણું છે, તેમ સ્વીકારવું હોય તો મુક્તિની વ્યાખ્યવૃત્તિતા સ્વીકારવી પડે અર્થાત્ પ્રકૃતિના એક ભાગમાં મુક્તિ છે અને પ્રકૃતિના અન્ય ભાગમાં મુક્તિ નથી, તેમ સ્વીકારવું પડે, તો જ એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિનો પરિવાર સાંખ્યદર્શનકાર કરી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy